તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને મળ્યા બાદ CM રેવન્ત રેડ્ડીનું પહેલું નિવેદન, કહ્યું: કાયદો અને વ્યવસ્થા સાથે કોઈ…
- સંધ્યા થિયેટર નાસભાગને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે CM રેવન્ત રેડ્ડીએ ટોલીવુડ કલાકારોને કડક સૂચના આપી
નવી દિલ્હી, 26 ડિસેમ્બર: અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા 2’ના પ્રીમિયર દરમિયાન સંધ્યા થિયેટરમાં નાસભાગના વિવાદ વચ્ચે તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પ્રતિનિધિઓ CM રેવન્ત રેડ્ડીને મળ્યા હતા. આ પછી રેવન્ત રેડ્ડીનું આ મામલે પહેલું નિવેદન બહાર આવ્યું છે. સંધ્યા થિયેટર નાસભાગને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે CM રેવન્ત રેડ્ડીએ ટોલીવુડ કલાકારોને કડક સૂચના આપતા કહ્યું કે, “કાયદો અને વ્યવસ્થા સાથે કોઈ સમાધાન કરવામાં આવશે નહીં.”
సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులతో భేటీ కావడం జరిగింది.
సినీ పరిశ్రమ అభివృద్ధికి…
సమస్యల పరిష్కారానికి…
ప్రజా ప్రభుత్వ సహకారం ఉంటుందని
భరోసా ఇవ్వడం జరిగింది.ఈ భేటీలో…డిప్యూటీ సీఎం శ్రీ మల్లు భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి…శ్రీ కోమటిరెడ్డి వెంకట్… pic.twitter.com/K8pmJkpykX
— Revanth Reddy (@revanth_anumula) December 26, 2024
CM રેવન્ત રેડ્ડી અને ટોલીવુડ ઉદ્યોગના નિર્દેશકો, નિર્માતાઓ અને કલાકારો વચ્ચે 26 ડિસેમ્બરે હૈદરાબાદના બંજારા હિલ્સમાં તેલંગાણા રાજ્ય પોલીસ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ફિલ્મ નિર્માતા સુરેશ બાબુ, કેએલ નારાયણ, દામોધર, અલ્લુ અરવિંદ, બીવીએસએન પ્રસાદ, ચિન્ના બાબુ, સુધાકર રેડ્ડી, ફિલ્મ દિગ્દર્શકો કોર્ટલા શિવા, અનિલ રવિપુડી, કે રાઘવેન્દ્ર રાવ, પ્રશાંત વર્મા, નાગાર્જુન, શિવા બાલાજી અને વેંકટેશ પહોંચ્યા હતા.
ટોલીવુડના દિગ્ગજ કલાકારો CM રેવન્ત રેડ્ડીને મળ્યા
‘પુષ્પા 2‘ના પ્રીમિયર દરમિયાન સંધ્યા થિયેટરમાં થયેલી નાસભાગ બાદ અલ્લુ અર્જુન ચર્ચામાં છે. હવે અલ્લુ અર્જુન સિવાય પણ ઘણા મોટા નામો સીએમ રેવન્તને મળ્યા અને આ બાબતે વાત કરી. ટોલીવુડ પ્રતિનિધિમંડળનું નેતૃત્વ તેલંગાણા ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન (FDC)ના પ્રમુખ દિલ રાજુ કરી રહ્યા છે. આ દરમિયાન નાગાર્જુન, વરુણ તેજ, સાંઈ ધરમ તેજ, કલ્યાણ રામ, શિવ બાલાજી, અદાવી શેષ અને નીતિન જેવા સ્ટાર્સ પણ હાજર હતા. આ બેઠકમાં કોરાતાલા શિવા, અનિલ રવિપુડી, સાઈ રાજેશ સહિતના દિગ્દર્શકોએ પણ આ ખાસ બેઠકમાં હાજરી આપી હતી.
સંધ્યા થિયેટર નાસભાગ મામલે CM રેવન્ત રેડ્ડીનું નિવેદન
સીએમ રેવન્ત રેડ્ડીએ બેઠકમાં સ્પષ્ટ કર્યું કે, બેનિફિટ શોને મંજૂરી આપવામાં આવશે નહીં. બાઉન્સરો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ચાહકોને નિયંત્રિત કરવાની જવાબદારી સ્ટાર્સની છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ ડ્રગ્સ વિરુદ્ધ અભિયાન ચલાવવું પડશે. ચંદ્ર બાબુ નાયડુના સમયમાં આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ યોજાયો હતો. એ જ રીતે આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરવું જોઈએ. આ અંગે ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા કેટલાક દિગ્ગજ લોકોએ કહ્યું કે, ફિલ્મને ફર્સ્ટ ડે શો અને બેનિફિટ શોથી સૌથી વધુ ફાયદો થાય છે.
આ પણ જૂઓ: આલિંગન અને કિસની રાહ જોઉં છુંઃ ઠગ સુકેશે જેકલીનનો મોકલ્યો ક્રિસમસ મેસેજ