ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગાંધીનગર ખાતે 26 સપ્ટેમ્બરે CM ઓનલાઈન ફરિયાદ નિવારણ ‘સ્વાગત’ કાર્યક્રમ યોજાશે

Text To Speech
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ નાગરિકો કરી શકશે રજૂઆતો અને ફરિયાદો

ગાંધીનગર, 24 સપ્ટેમ્બર : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રાજ્યના નાગરિકો, પ્રજાજનોની રજૂઆતો અને સમસ્યાઓના ઓનલાઈન નિવારણ માટેનો રાજ્ય સ્વાગત કાર્યક્રમ ગુરૂવાર, તા. ૨૬ સપ્ટેમ્બરે બપોરે યોજાશે. જે માટે અરજદારો કે ફરિયાદીઓએ પોતાની અરજી અગાઉથી રજૂ કરવાની રહેશે.

મળતી માહિતી મુજબ, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વર્ષ ૨૦૦૩થી શરૂ થયેલા સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અન્વયે દર મહિનાના ચોથા ગુરુવારે રાજ્ય સ્વાગત યોજવામાં આવે છે. આ ઉપક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સપ્ટેમ્બર-૨૦૨૪નો રાજ્યકક્ષાનો સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ તા. ૨૬મી સપ્ટેમ્બરે યોજાશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગુરૂવારે ૨૬મી સપ્ટેમ્બરે બપોરે ૩-૩૦ વાગ્યે રાજ્ય સ્વાગતમાં ઉપસ્થિત રહેશે અને નાગરિકોની રજૂઆતો સાંભળશે. સામાન્ય નાગરિકો, અરજદારો આ સ્વાગત કાર્યક્રમ માટેની રજૂઆતો ગુરૂવાર, તા. ૨૬મી સપ્ટેમ્બરે સવારે ૮-૩૦ થી ૧૧.૩૦ વાગ્યા સુધી મુખ્યમંત્રીના જનસંપર્ક એકમ, સ્વર્ણિમ સંકુલ-૨, ગાંધીનગર ખાતે રૂબરૂ આવીને કરી શકશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બપોરે ૩-૩૦ કલાકે મુખ્યમંત્રી કાર્યાલય જનસંપર્ક એકમમાં ઉપસ્થિત રહીને રજૂઆતો સાંભળશે.

Back to top button