ગુજરાત

CM કેજરીવાલનો મોટો આરોપ, ‘અમિત શાહ જેલમાં VIP ટ્રીટમેન્ટ લેતા હતા’

Text To Speech

દિલ્હી સરકારના મંત્રી સત્યેન્દ્ર જૈનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ કથિત વીડિયોમાં સત્યેન્દ્ર જૈન પગની મસાજ કરાવતા જોવા મળે છે. આ વીડિયોને લઈને આમ આદમી પાર્ટી અને બીજેપી એકબીજા પર પ્રહારો કરી રહ્યા છે. હવે AAPના સંયોજક અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે આ મામલે ભાજપ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર નિશાન સાધ્યું છે.

અરવિંદ કેજરીવાલે કહ્યું કે ભાજપના લોકો રોજ નકલી સ્ટિંગ લાવે છે. ભાજપના લોકો રોજેરોજ કેજરીવાલને ગાળો આપે છે. આ લોકોએ ગંદી રાજનીતિ કરવાનું બંધ કરવું જોઈએ. વીડિયો અંગે તેઓ કહી રહ્યા છે કે સત્યેન્દ્ર જૈન મસાજ કરાવી રહ્યા છે. વીઆઈપી ટ્રીટમેન્ટ કરાવી રહ્યા છે. પરંતુ આ માત્ર તેમની ફિઝિયોથેરાપી છે. ડોક્ટરે તેને સલાહ આપી હતી. અમિત શાહ જ્યારે ગુજરાતમાં મંત્રી હતા ત્યારે સત્યેન્દ્ર જૈનને જે VIP ટ્રીટમેન્ટ નથી મળી રહી જે તેઓ જેલમાં હતા ત્યારે મેળવતા હતા.

આ પણ વાંચો : BJPના સ્ટિંગ બોમ્બ પર કેજરીવાલનો જવાબ, કહ્યું- ‘ના પહેલા કંઈ મળ્યું, ના હવે કંઈ મળશે’

Back to top button