1 એપ્રિલથી LPG ગેસ સિલિન્ડરના ભાવમાં થશે રુ. 500નો ઘટાડો, જાણો કોણે કરી જાહેરાત


મોંઘવારીના માર વચ્ચે રાજસ્થાનના લોકો માટે મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે જાહેરાત કરી છે કે રાજસ્થાનમાં 1 એપ્રિલથી એલપીજી સિલિન્ડરની કિંમતમાં 500 રૂપિયાનો ઘટાડો કરવામાં આવશે. એપ્રિલમાં, ગેહલોત સરકાર ગરીબી રેખા નીચે અને ઉજ્જવલા યોજનામાં નોંધાયેલા લોકોને 500 રૂપિયામાં રસોઈ ગેસ સિલિન્ડર આપશે. આવતા મહિને જે બજેટ રજૂ થશે.
1 એપ્રિલથી એલપીજીમાં 500નો ઘટાડો
રાજસ્થાનમાં 1 એપ્રિલથી એલપીજી સિલિન્ડરના ભાવમાં 500 રૂપિયાનો ઘટાડો થશેઃ CM ગેહલોતે જાહેરાત કરી છે ગેહલોતે કહ્યું કે હું આગામી મહિનાના બજેટમાં આ માટેની તૈયારી કરી રહ્યો છું.

આ પણ વાંચો; મોંઘવારીનો વધુ એક માર : સૌરાષ્ટ્રમાં સતત બીજા દિવસે સીંગતેલના ભાવમાં ભડકો
અશોક ગેહલોતની જાહેરાત
ગેહલોતે કહ્યું, “.. અત્યારે, હું માત્ર એક જ વાત કહેવા માંગુ છું. ઉજ્જવલા યોજના હેઠળ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગરીબોને એલપીજી કનેક્શન અને ગેસ સ્ટવ આપે છે, પરંતુ સિલિન્ડર ખાલી રહે છે. કારણ કે તેની કિંમત હવે ₹400 થી વધુ છે. .” વધીને ₹1,040 થઈ ગઈ છે.
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે અલવરમાં માલખેડા રેલીના મંચ પરથી મોટી જાહેરાત કરી છે. તેમણે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી સહિત અન્ય નેતાઓની હાજરીમાં આ જાહેરાત કરી હતી.