ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

દિલ્હીની ગાદી CM આતિશીએ કંઈક અલગ રીતે સંભાળી, જાણો શું કર્યું

નવી દિલ્હી, 23 સપ્ટેમ્બર : આમ આદમી પાર્ટીના નેતા આતિશીએ દિલ્હીના સીએમ પદનો ચાર્જ સંભાળી લીધો છે. તેમણે અનોખી રીતે ચાર્જ સંભાળ્યો હતો. તેમણે મુખ્યમંત્રીની ખુરશીની બાજુમાં ખાલી ખુરશી મૂકીને ચાર્જ સંભાળ્યો હતો. આતિશી સીએમની ખુરશી પર બેઠા નથી.  તે બીજી ખુરશી પર બેઠા છે.

ચાર્જ સંભાળતા આતિશીએ શું કહ્યું?

મુખ્યમંત્રી આતિશીએ કહ્યું કે આજે મેં દિલ્હીના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. આજે મારા મનમાં પણ ભરતજીના જેવું જ દુઃખ છે. ભરતજીએ જે રીતે ભગવાન શ્રી રામની ગાદી રાખીને કામ કર્યું, તે જ રીતે હું આગામી 4 મહિના સુધી મુખ્યમંત્રી પદ સંભાળીશ.

વધુમાં આતિશીએ કહ્યું કે છેલ્લા બે વર્ષથી ભાજપે અરવિંદ કેજરીવાલ પર કાદવ ઉછાળવામાં કોઈ કસર છોડી નથી.  6 મહિના માટે જેલમાં મોકલવામાં આવ્યા હતા. કોર્ટે એમ પણ કહ્યું કે અરવિંદ કેજરીવાલની એજન્સી દ્વારા દુર્ભાવનાપૂર્ણ ઈરાદાથી ધરપકડ કરવામાં આવી હતી.આ ખુરશી અરવિંદ કેજરીવાલની છે. મને વિશ્વાસ છે કે ફેબ્રુઆરીમાં યોજાનારી ચૂંટણીમાં દિલ્હીની જનતા અરવિંદ કેજરીવાલને ફરીથી મુખ્યમંત્રી બનાવશે. ત્યાં સુધી અરવિંદ કેજરીવાલની આ ખુરશી અહીં જ રહેશે.

સીએમ પદની જાહેરાત બાદ આતિશી ચર્ચામાં છે

આમ આદમી પાર્ટીના નેતા આતિશીએ શનિવારે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ આતિશીને મુખ્યમંત્રી પદના શપથ લેવડાવ્યા હતા.  આતિશીએ દિલ્હીના 8મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા.  શપથ ગ્રહણ સમારોહ દિલ્હીના રાજ નિવાસમાં યોજાયો હતો.  સીએમ આતિશીની સાથે 5 કેબિનેટ મંત્રીઓએ પણ ગોપનીયતાના શપથ લીધા હતા.

મુખ્યમંત્રી બન્યા બાદ આતિશીએ આમ આદમી પાર્ટી (AAP)ના કન્વીનર અરવિંદ કેજરીવાલના ચરણ સ્પર્શ કર્યા અને આશીર્વાદ લીધા હતા. આ દરમિયાન લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેના પણ અરવિંદ કેજરીવાલ સાથે ઉભા હતા.  ત્યારબાદ આતિષીએ આગળ આવીને પૂર્વ સીએમ કેજરીવાલના ચરણ સ્પર્શ કર્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચોઃ ચાઈલ્ડ પોર્નોગ્રાફી અંગે ચુકાદોઃ તમારા મનમાં ઉઠતા પ્રશ્નો અને જવાબ જાણો

Back to top button