Diwali 2023નેશનલ

MOHUA દ્વારા “સ્વચ્છ દિવાળી, શુભ દિવાળી” ઝુંબેશ શરુ

સ્વચ્છ દિવાળી, શુભ દિવાળી: દિવાળી આવતાં જ ઘરોમાં ઉત્સવના ઉલ્લાસથી ગુંજી ઉઠ્યા છે. દિવાળી પહેલા નાગરિકો સ્વચ્છતાની પ્રવૃત્તિઓમાં વ્યસ્ત હોવાથી દરેક ઘરમાં દિવાળી પહેલાં સ્વછતા થઈ રહી છે. ત્યારે દિવાળી દરમિયાન સ્વચ્છતા માત્ર ઘર પુરતી મર્યાદિત ન હોવાથી તહેવારની ઉજવણી માટે રસ્તાઓ, બજારો અને મહોલ્લાઓ સ્વચ્છ રહે તેની ખાતરી કરવા માટે આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય (MOHUA)ના નેજા હેઠળ સ્વચ્છ ભારત મિશન –અર્બન 2.0નો શુભારંભ કરવામાં આવ્યો છે.

  • સ્વચ્છ દિવાળી શુભ દિવાળી 06 થી 12 નવેમ્બર, 2023 સુધી અભિયાન શરુ કરવામાં આવ્યું છે. આ અભિયાનનો ઉદ્દેશ સ્વચ્છ ભારતની યાત્રા અને જીવનશૈલી ફોર એન્વાયર્નમેન્ટ (મિશન લાઈફ)ના સિદ્ધાંતોની સાથે દિવાળીના સાંસ્કૃતિક મહત્વને પ્રોત્સાહન આપવાનો છે.

મિશન લાઈફના મુખ્ય ઉદ્દેશ

  • મિશન લાઈફના ઉદ્દેશ પર્યાવરણનું સંરક્ષણ અને જતન કરવાનો છે.
  • જીવનશૈલીમાં ગ્રહ-તરફી વર્તણૂકમાં પરિવર્તન લાવવાનો છે.
  • ‘મિશન લાઈફ’ સ્વચ્છ દિવાળીની વિભાવના શુભ દિવાળી સ્વચ્છ અને પર્યાવરણને અનુકૂળ ઉજવણીના મહત્વ પર ભાર મૂકે છે.

‘મિશન લાઈફ’નો પહેલનો ઉદ્દેશ લોકોને સ્થાનિક રીતે નિર્મિત ઉત્પાદનો પસંદ કરવા, સિંગલ-યુઝ પ્લાસ્ટિકથી મુક્ત દિવાળીને અપનાવવા અને દિવાળી પહેલા અને પછીની સ્વચ્છતાને પ્રાથમિકતા આપવા માટે સંવેદનશીલ અને પ્રેરિત કરીને પર્યાવરણ અને સમુદાયો પ્રત્યે જવાબદારીની ભાવના પેદા કરવાનો ઉદ્દેશ છે.

  • નાગરીકો સ્વચ્છ દિવાળીની 30 સેકન્ડની રીલ બનાવી #SwachhDiwali સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અપલોડ કરી શકે છે.

મિશને ‘સ્વચ્છ દિવાળી, શુભ દિવાળી’ સહી ઝુંબેશ માટે સરકારના નાગરિક જોડાણ પ્લેટફોર્મ MyGov સાથે ભાગીદારી કરી છે. આ અંતર્ગત નાગરિકોને સ્વચ્છ, ગ્રીન અને સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી દિવાળી ઉજવવા માટે તેમનો સંકલ્પ અને પ્રતિબદ્ધતા દર્શાવવા માટે રાષ્ટ્રીય હસ્તાક્ષર અભિયાનમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. તમામ નાગરિકો MyGov પર 6 થી 12 નવેમ્બર, 2023 દરમિયાન સ્વચ્છ દિવાળી ઝુંબેશ શરુ કરી છે. દરેક નાગરીક સ્વચ્છ દિવાળી માટેની તેમની અનોખી પહેલને 30-સેકન્ડની વિડિયો રીલમાં કેપ્ચર કરી શકે છે અને તેને #SwachhDiwali સાથે તેમના મનપસંદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અપલોડ કરી શકે છે અને SBM અર્બન 2.0 – @sbmurbangovના સત્તાવાર હેન્ડલને ટેગ કરી શકે છે. વધુમાં, શહેરી સ્થાનિક સંસ્થાઓને દિવાળી પહેલા અને પછી સફાઈ સહિત ધુમ્મસ દૂર કરવા જેવી પ્રવૃત્તિઓ હાથ ધરવા વિનંતી કરવામાં આવી છે.

દિવાળી પર ભારત વાસીઓને PM મોદીનો સંદેશ

“વીતેલાં વર્ષોમાં આપણાં તહેવારો સાથે દેશનો એક નવો સંકલ્પ પણ જોડાયેલો રહ્યો છે. તમે બધા જાણો છો, આ ‘વોકલ ફોર લોકલ’નો ઠરાવ છે. સ્વચ્છતાનું પાલન કરતા તહેવારો પર પોલિથીનનો હાનિકારક કચરો આપણા તહેવારોની ભાવનાની વિરુદ્ધ છે. તેથી, આપણે ફક્ત સ્થાનિક રીતે બનાવેલી બિન-પ્લાસ્ટિકની થેલીઓનો ઉપયોગ કરવો જોઈએ. તહેવારોના પ્રસંગે તેમને પ્રોત્સાહન આપવું અને સ્વચ્છતાની સાથે-સાથે આપણા સ્વાસ્થ્ય અને પર્યાવરણનું પણ ધ્યાન રાખવું એ આપણી ફરજ છે.” પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

આ પણ વાંચો: દિવાળીએ અયોધ્યામાં બનશે રેકોર્ડ, લાખો દીવાથી ઝળહળશે સરયૂ ઘાટ

Back to top button