અમદાવાદગુજરાતમધ્ય ગુજરાતશ્રી રામ મંદિર

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના શીલજ ગામમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ લાઈવ નિહાળ્યો

Text To Speech
  • ભવ્ય રામ મંદિરની ભેટ આપવા બદલ તમામ ગુજરાતીઓ વતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ખૂબ-ખૂબ આભાર: સીએમ ભૂપેન્દ્ર પટેલ
  • સીએમ તેમજ ગામના આગેવાનોએ પ્રાણપ્રતિષ્ઠા વિધિ અને પ્રથમ આરતીના ઓનલાઇન દર્શન કરી ધન્યતા અનુભવી

અમદાવાદ, 22 જાન્યુઆરી: અયોધ્યા ધામ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતવર્ષના સાધુ-સંતો તથા અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઓનલાઇન માધ્યમથી આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે અમદાવાદના શીલજ ગામે પહોંચ્યા હતા. જ્યાં તેમણે પ્રાણ પ્રતિષ્ઠા વિધિ અને પ્રથમ આરતીના ઓનલાઇન દર્શન કરી ધન્યતા અનુભવી.

આ અવસરે મુખ્યમંત્રીએ તમામ ગુજરાતીઓ વતી ભવ્ય રામમંદિરની ભેટ આપવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, આજના ઐતહાસિક અવસરે સહુ ભારતીયોની આતુરતાનો અંત આવ્યો છે. વડાપ્રધાનના કરકમલો દ્વારા ભગવાન રામની પ્રતિષ્ઠા થઈ છે. વડાપ્રધાનના નેતૃત્વમાં વિકાસ અને વિરાસતના કાર્યો અવિરત ચાલતા રહે તેવી પ્રભુ શ્રી રામના ચરણે પ્રાર્થના છે. ત્યાર બાદ તેમણે તમામ દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા હતા.

આજના પાવન પ્રસંગે શીલજ ગામના ચોકમાં આયોજિત સમારોહમાં ગામના આગેવાનો અને મોટી સંખ્યામાં ધર્મપ્રેમી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો: NIMCJના વિદ્યાર્થીઓએ રામ-ભરત મિલાપ સહિતના કાર્યક્રમો સાથે રામદિવાળીની ઉજવણી કરી

Back to top button