આ રાજ્યમાં OBC અનામત 23% થી વધારીને 42% કરવાની મુખ્યમંત્રીની જાહેરાત


હૈદરાબાદ, 17 માર્ચ : તેલંગાણાની કોંગ્રેસ સરકારે રાજ્યમાં પછાત જાતિનું અનામત 23 ટકાથી વધારીને 42 ટકા કર્યું છે. રાજ્યના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ આજે (સોમવાર, 17 માર્ચ) આની જાહેરાત કરી હતી. આ સાથે, રાજ્યમાં અનામતની કુલ મર્યાદા હવે વધીને 62 ટકા થશે, જે સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્ધારિત 50 ટકાની મર્યાદા કરતાં વધુ છે. મહત્વનું છે કે કોંગ્રેસે 2023ની તેલંગાણા વિધાનસભા ચૂંટણીમાં OBC ક્વોટા 23 ટકાથી વધારીને 42 ટકા કરવાનું વચન આપ્યું હતું. રેડ્ડીએ સોશિયલ મીડિયા પર આ વિશે લાંબી પોસ્ટ પણ કરી છે અને તેની માહિતી આપી છે.
તેલંગાણા વિધાનસભામાં આની જાહેરાત કરતા મુખ્યમંત્રી રેવન્ત રેડ્ડીએ કહ્યું, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વચન આપ્યું હતું કે જો કોંગ્રેસ સત્તામાં આવશે તો પછાત વર્ગો માટે અનામત વધારીને 42 ટકા કરવામાં આવશે. સત્તા સંભાળ્યા પછી તરત જ, અમારી સરકારે 4 ફેબ્રુઆરી, 2024 ના રોજ પછાત જાતિની વસ્તી ગણતરી શરૂ કરી… અગાઉની સરકારે BC અનામતને 37 ટકા કરવા માટે રાજ્યપાલને દરખાસ્ત મોકલી હતી પરંતુ અમારી સરકાર અગાઉની દરખાસ્ત પાછી ખેંચી રહી છે અને પછાત જાતિના લોકોને શિક્ષણ અને રાજકીય તકોમાં 42 ટકા અનામત આપવાનો નવો પ્રસ્તાવ મોકલી રહી છે.
તેમણે કહ્યું, ગૃહના નેતા તરીકે હું ખાતરી આપું છું કે હું પછાત વર્ગોને અનામતનો લાભ આપવા માટે સક્રિય પગલાં લઈશ અને 42 ટકા અનામત હાંસલ કરવામાં આગેવાની કરીશ. આ પ્રસંગે રેડ્ડીએ તમામ પક્ષોના નેતાઓને અપીલ કરી છે કે તેઓ તેમની સાથે આવે અને આ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળે. જેથી કરીને અનામતને કાયદાકીય રક્ષણ મળી શકે. અમે BC આરક્ષણને 42 ટકા સુધી વધારવા માટે જરૂરી કાનૂની સમર્થન મેળવી અને જ્યાં સુધી પછાત વર્ગો માટે 42 ટકા આરક્ષણ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી અમે આરામ કરીશું નહીં. અમે કામરેડી મેનિફેસ્ટો માટે પ્રતિબદ્ધ છીએ. મહત્વનું છે કે તેલંગાણામાં પછાત વર્ગની વસ્તી લગભગ 46.25 ટકા છે, જ્યારે અનુસૂચિત જાતિની વસ્તી 17.43 ટકા અને અનુસૂચિત જનજાતિની વસ્તી 10.45 ટકા છે.
આ પણ વાંચો :- ભાષા વિવાદ : વધુ એક NDA શાસિત રાજ્યના નેતાની સ્ટાલિનને સલાહ, જાણો કોણે શું કહ્યું?