ટ્રેન્ડિંગધર્મ

Chaturmas 2023: માંગલિક કાર્યો પર ક્યારથી લાગશે બ્રેક? નોંધી લો તારીખ

Text To Speech
  • અષાઢ મહિનાની એકાદશીથી ચાતુર્માસનો પ્રારંભ
  • આ વખતે પાંચ મહિનાના હશે ચાતુર્માસ
  • દેવઉઠી એકાદશી સુધી નહિ થાય શુભ કાર્યો

અષાઢ મહિનાના શુક્લ પક્ષની એકાદશીથી ચાતુર્માસની શરૂઆત થઇ જાય છે. ચાતુર્માસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ વર્ષે દેવશયની એકાદશી 29 જુન 2023 અને ગુરૂવારના રોજ છે. દેવશયની એકાદશીને પદ્મા એકાદશી, પ્રબોધિની એકાદશી, અષાઢી એકાદશી અને હરિશયની એકાદશી પણ કહેવાય છે. આ એકાદશી બાદ ભગવાન વિષ્ણુ પાતાળ લોકમાં નિદ્રા અવસ્થામાં ચાલ્યા જાય છે અને કારતક મહિનાની દેવઉઠી એકાદશીએ જાગે છે. આ ચાર મહિનાનો સમય ચાતુર્માસ પણ કહેવાય છે. આ દરમિયાન ભગવાન વિષ્ણુ પૃથ્વીનો કાર્યભાર ભગવાન શિવને સોંપી દે છે. વિષ્ણુજીની અનુપસ્થિતિના કારણે વિવાહ-સંસ્કાર અને અન્ય પ્રકારના માંગલિક કાર્યો પર બ્રેક લાગી જાય છે. આમ તો ચાતુર્માસનો સમય ચાર મહિનાનો હોય છે, પરંતુ આ વખતે આ સમય પાંચ મહિનાનો હશે.

Chaturmas 2023: આટલા મહિના માંગલિક કાર્યો પર લાગશે બ્રેક hum dekhenge news

શા માટે ચાતુર્માસ પાંચ મહિનાના?

આ વર્ષે ચાતુર્માસનો સમય પાંચ મહિનાનો હશે, કેમકે આ વર્ષે અધિક માસ આવી રહ્યો છે.આ વર્ષે શ્રાવણ મહિનામાં અધિક મહિનો લાગી રહ્યો છે. ચાતુર્માસની શરૂઆત 29 જુનથી થશે અને તેનું સમાપન 23 નવેમ્બર ના રોજ દેવઉઠી એકાદશીના રોજ થશે.

આ કાર્યો પર બ્રેક

ચાતુર્માસમાં કોઇ પણ પ્રકારના માંગલિક કાર્ય, જેમકે વિવાહ કાર્ય, ગૃહ પ્રવેશ, ભૂમિ પૂજન, મુંડન, તિલકોત્સવ, જનોઇ સંસ્કાર જેવા કાર્યો પર બ્રેક લાગશે. આ ઉપરાંત ચાતુર્માસ દરમિયાન ગોળ, તેલ, મધ, મુળા, પરવર, રિંગણ ગ્રહણ ન કરવા જોઇએ.

આ પણ વાંચોઃ અયોધ્યા મંદિરમાં 22 જાન્યુઆરીએ બિરાજશે રામલલા ! PM મોદીને મોકલાયું પૂજાનું આમંત્રણ

Back to top button