ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ચંપઈ સોરેન ભાજપના થઈ જશે! JMMમાં ​​અપમાન અને તિરસ્કારથી દુઃખી, જીતનરામ માંઝીએ કહી મોટી વાત

  • એવી ચર્ચા છે કે ચંપઈ સોરેનની સાથે JMMના વધુ 5 ધારાસભ્યો આજે ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે. ચંપઈને હેમંત સોરેનના જૂના સહયોગી માનવામાં આવે છે. ઝારખંડ મુક્તિ મોરચાને વિધાનસભા ચૂંટણી પહેલા મોટો ઝટકો લાગી શકે છે

દિલ્હી, 19 ઓગસ્ટ: ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી અને જેએમએમના નેતા ચંપઈ સોરેન આજે ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાઈ શકે છે. ભાજપમાં જોડાવાની અટકળો વચ્ચે ચંપઈ સોરેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ દ્વારા પોતાનું દર્દ વ્યક્ત કર્યું છે. ચંપઈ સોરેને X પર લખ્યું છે કે જે પાર્ટી માટે અમે આખું જીવન સમર્પિત કર્યું છે. એ પક્ષમાં મારું કોઈ અસ્તિત્વ નથી. ચંપઈ સોરેને આગળ લખ્યું કે પાર્ટીમાં અપમાન અને તિરસ્કાર બાદ તેમને વૈકલ્પિક રસ્તો શોધવાની ફરજ પડી છે.

જીતનરામ માંઝીએ ચંપઈને વાઘ ગણાવ્યા

ચંપઈ સોરેન ભાજપમાં જોડાવા અંગેની અટકળો વચ્ચે કેન્દ્રીય મંત્રી જીતન રામ માંઝીએ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ચંપઈ સોરેનને NDAનો ભાગ બનવા બદલ અભિનંદન પાઠવ્યા છે. માંઝીએ લખ્યું, ‘ચંપઈ દા, તમે વાઘ હતા, વાઘ છો અને હંમેશા વાઘ જ રહેશો. એનડીએ પરિવારમાં આપનું સ્વાગત છે.’ તો આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે ચંપઈ સોરેન આજે દિલ્હીમાં ભાજપમાં જોડાઈ શકે છે.

 

ચંપઈની સાથે જેએમએમના 5 ધારાસભ્યો જોડાઈ શકે છે ભાજપમાં

હેમંત સોરેને આ વર્ષની શરૂઆતમાં ચંપઈ સોરેનને મુખ્યમંત્રી બનાવ્યા હતા. જેએમએમ કવિતા સોરેન કરતાં ચંપઈ પર વધુ વિશ્વાસ કરે છે. ચંપઈ હજુ પણ ઝારખંડ સરકારમાં મંત્રી છે પરંતુ તેમનો પક્ષથી મોહભંગ છે. સોમવારે તેઓ પોતાની રાજકીય કારકિર્દીનો સૌથી મોટો નિર્ણય લેવા જઈ રહ્યા છે. એવી અટકળો છે કે ચંપઈ સોરેન જેએમએમના 5 ધારાસભ્યોને પણ ભાજપમાં લઈને જઈ શકે છે.

શું ભાજપને ચૂંટણીમાં ફાયદો થશે?

આવી સ્થિતિમાં સવાલ એ ઊભો થાય છે કે જો ચંપઈ સોરેન ભાજપમાં જોડાય તો ભાજપને શું મળશે? ચંપઈ માટે સોદો કેટલો નફાકારક રહેશે? ચંપઈના ભાજપમાં જવાથી હેમંત સોરેન શું ગુમાવશે? આ બધું તો આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવશે ત્યારે જ ખબર પડશે.

સીએમ હેમંત સોરેને ભાજપ પર લગાવ્યો મોટા આરોપો

આ દરમિયાન ઝારખંડના સીએમ હેમંત સોરેને ચંપઈ અને ભાજપ પર ઈશારામાં નિશાન સાધ્યું છે. હેમંત સોરેને કહ્યું છે કે પૈસાના આધારે ઘર અને પાર્ટીને બરબાદ કરવામાં આવી રહી છે. ચંપઈના ભાજપમાં જોડાવા અંગેની અટકળો પર હેમંત સોરેને કહ્યું કે સમાજની વાત તો છોડો, તેઓ (ભાજપ) ઘરો તોડવાનું કામ કરે છે. તેઓ પાર્ટીને તોડવાનું કામ કરે છે. દરરોજ તેઓ કોઈને કોઈ ધારાસભ્યને ખરીદે છે.

આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટે કોલકાતાની ઘટના પર લીધું  સ્વતઃ સંજ્ઞાન, કેસની સુનાવણી મંગળવારે થશે

Back to top button