ટોપ ન્યૂઝટ્રેન્ડિંગમનોરંજન

કંગના રનૌતની ઈમરજન્સીને સેન્સર બોર્ડની મંજૂરી, જાણો કેવી રીતે રસ્તો સાફ થયો

Text To Speech

મુંબઈ, 26 સપ્ટેમ્બર : કંગના રનૌતની બહુચર્ચિત ફિલ્મ ઈમરજન્સીની રિલીઝ પર પ્રતિબંધને લઈને ગુરુવારે બોમ્બે હાઈકોર્ટમાં ફરી સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) એ કહ્યું કે કંગના રનૌતની આ ફિલ્મ રિલીઝ થઈ શકે છે. આ પહેલા ફિલ્મમાં કેટલાક કટ કરવા પડશે, જેનું સૂચન સેન્સર બોર્ડની સમીક્ષા સમિતિએ કર્યું હતું.

જસ્ટિસ બીપી કોલાબાવાલા અને જસ્ટિસ ફિરદૌસ પોનીવાલાની બેન્ચ સામે બોર્ડે આ વાત કહી હતી. આ અંગે ફિલ્મ નિર્માતા કંપની ઝી સ્ટુડિયોનું કહેવું છે કે તે સોમવાર સુધીમાં આ મામલે વિચાર કરશે. ઝીએ કહ્યું કે ક્યાં કટ કરી શકાય તેની માહિતી મેળવીશું. હવે કોર્ટ આવતા અઠવાડિયે આ કેસની સુનાવણી કરશે.

ઝી સ્ટુડિયોએ પોતે કોર્ટમાં અરજી દાખલ કરી હતી અને સેન્સર બોર્ડ દ્વારા તેને પ્રમાણપત્ર જારી કરવાનો આદેશ આપવા માંગણી કરી હતી. આ ફિલ્મને લઈને એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે શીખ સમુદાયને ખોટી રીતે બતાવવામાં આવ્યો છે. આ પછી જ્યારે વિવાદ વધ્યો તો સેન્સર બોર્ડે રિલીઝને રોકી દીધી હતી. ઝી સ્ટુડિયોએ કોર્ટમાં કહ્યું હતું કે અમે 29 ઓગસ્ટે જ ફિલ્મ સર્ટિફિકેશન બોર્ડ સમક્ષ અમારી અરજી રજૂ કરી હતી. પરંતુ હજુ સુધી અમને બોર્ડ તરફથી સેન્સર સર્ટિફિકેટ મળ્યું નથી.

અગાઉ, કોર્ટે કહ્યું હતું કે, અમે 4 સપ્ટેમ્બરે સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશનને જબલપુર શીખ સંગત અને અન્ય પક્ષોના વાંધાઓ પર વિચાર કરવા અને પછી પ્રમાણપત્ર આપવાનું કહ્યું હતું. આ પછી પણ હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

આ પછી, કોર્ટે બોર્ડને 25 સપ્ટેમ્બર સુધીમાં નિર્ણય લેવાનું કહ્યું હતું, પરંતુ તે પછી પણ મામલો સ્થગિત થતો રહ્યો હતો. હવે રિલીઝને લઈને બોર્ડે કોર્ટમાં કહ્યું છે કે સૂચિત કટ પછી ફિલ્મ થિયેટરોમાં રિલીઝ થઈ શકે છે. આ ફિલ્મમાં કંગના રનૌતે પૂર્વ પીએમ ઈન્દિરા ગાંધીની ભૂમિકા ભજવી છે અને આ ફિલ્મનું કેન્દ્રબિંદુ 1975માં ઈન્દિરા ગાંધી દ્વારા લાદવામાં આવેલી ઈમરજન્સી છે.

Back to top button