CBIએ સમીર વાનખેડેને સમન્સ પાઠવ્યા, આર્યન ખાન સંબંધિત કેસ


CBIએ આર્યન ખાન ક્રૂઝ ડ્રગ્સ કેસમાં મુંબઈ NCBના ભૂતપૂર્વ ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેને સમન્સ મોકલ્યા છે. CBIએ જણાવ્યું કે વાનખેડેને આ કેસમાં પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે.

આર્યન ખાન ક્રુઝ ડ્રગ્સ કેસમાં CBIએ તાજેતરમાં સમીર વાનખેડેના સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ દરમિયાન, CBIએ જણાવ્યું હતું કે તેણે સમીર વાનખેડે વિરુદ્ધ અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન પાસેથી તેના પરિવારને ડ્રગ્સના કેસમાં ફસાવવા માટે 25 કરોડ રૂપિયાની લાંચ માંગવા બદલ કેસ નોંધ્યો છે.
શું છે CBIની FIRમાં?
FIR મુજબ, 2 ઓક્ટોબર, 2021ના રોજ વાનખેડેની સૂચના પર કોર્ડેલા ક્રુઝ શિપ પર NCB દ્વારા કરાયેલા દરોડામાં સ્વતંત્ર સાક્ષીઓ કેપી ગોસાવી અને પ્રભાકર સૈલનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પ્રભાકર સૈલ મૃત્યુ પામ્યા છે.
ગોસાવીએ તેના સહયોગી સનવિલ ડિસોઝા અને અન્યો સાથે મળીને આર્યન ખાનના પરિવાર પાસેથી 25 કરોડ રૂપિયા પડાવવાનું કાવતરું ઘડ્યું હતું. FIRમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે ગોસાવી અને ડિસોઝાએ આર્યનને છોડાવવા માટે પૈસાની વાતચીત કરી અને તેને ઘટાડીને 18 કરોડ રૂપિયા કરી દીધા. આ સાથે તેણે એડવાન્સ તરીકે 50 લાખ રૂપિયા પણ લીધા હતા, બાદમાં તેનો કેટલોક ભાગ પરત કર્યો હતો.
શું છે મામલો?
જણાવી દઈએ કે આર્યન ખાનની NCB દ્વારા 3 ઓક્ટોબર, 2021ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. આ પછી, આર્યન ખાને 25 દિવસ જેલમાં વિતાવ્યા પછી 28 ઓક્ટોબર, 2021 ના રોજ બોમ્બે હાઈકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા હતા. 27 મે, 2022ના રોજ, એનસીબીએ 14 આરોપીઓ વિરુદ્ધ 6,000 પાનાની ચાર્જશીટ દાખલ કરી, જેમાં પુરાવાના અભાવના આધારે આર્યન ખાનને ક્લીનચીટ આપી.