ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

માતા-પિતા માટે સાવધાન રહેવા જેવો કિસ્સોઃ બાળકોને કારમાં જ રાખી મીઠાઈ લેવા ગયા અને…

  • પોલીસે ત્રણ કલાકમાં અપહરણ કરાયેલા બાળકોને શોધીને માતા-પિતાને પરત કર્યા 

નવી દિલ્હી, 29 જૂન: દિલ્હી પોલીસે માત્ર ત્રણ કલાકમાં અપહરણનો અનોખો કેસ ઉકેલી નાખ્યો છે, જેમાં માતા-પિતાની બેદરકારીને કારણે બાળકોનું કાર સહિત અપહરણ થઈ ગયું હતું. હકીકતમાં, ફરીદાબાદનો એક પરિવાર દિલ્હી ફરવા આવ્યો હતો. જ્યારે પરિવારની 11 વર્ષની પુત્રીએ મીઠાઈ ખાવાની જીદ કરી ત્યારે પિતાએ કાર ફેરવી અને સીધા લક્ષ્મીનગરમાં આવેલી હીરા સ્વીટ્સ પાસે ગયા. પિતા મીઠાઈ ખરીદવા મીઠાઈની દુકાને પત્ની-બાળકોને કારમાં બેસાડીને ચાલ્યા ગયા. આ પછી બાળકોની માતા પણ કારમાંથી નીચે ઉતરીને વોશરૂમ ગઈ. હવે લગભગ 3 વર્ષનો છોકરો અને તેની 11 વર્ષની મોટી બહેન કારમાં એકલા બેઠા હતા. એટલામાં એક વ્યક્તિ ત્યાં આવ્યો અને કારમાં બેસી ગયો. કારમાં બેઠેલી છોકરીએ પૂછ્યું કે, “કાકા, તમે કોણ છો?” આ પછી, શખ્સ કાર સાથે બાળકોને લઈને સ્થળ પરથી ભાગી ગયો. જ્યારે બાળકોના માતા-પિતા 10 મિનિટ પછી કારની જગ્યાએ પહોંચ્યા તો તેમણે જોયું કે કાર તેની જગ્યાએ નથી. આ પછી બાળકોના માતા-પિતા સીધા લક્ષ્મીનગર પોલીસ સ્ટેશન પહોંચ્યા. પોલીસ સ્ટેશન પહોંચ્યા બાદ માતા-પિતાએ પોલીસ સ્ટેશનના SHOને પોતાની પરિસ્થિતિ જણાવી.

 

આ રીતે પોલીસે કાર અને બાળકોને શોધી કાઢ્યા 

આ પછી લક્ષ્મી નગરના SHOએ પિતાને પોતાની કારમાં બેસાડ્યા. બિલ્ડિંગમાં જ બનેલા શકરપુર પોલીસ સ્ટેશનના SHOએ બાળકોની માતાને પોતાની કારમાં બેસાડ્યા અને બાળકોની શોધમાં નીકળી પડ્યા. ત્યારબાદ બાળકોના પિતાએ પોલીસને જણાવ્યું કે, બાળકોની માતાનો ફોન કારમાં હતો અને ત્યારબાદ પોલીસે તેને કારમાં રાખેલા ફોન પર ફોન કરવાનું કહ્યું. કોલ કરતાં જ આરોપીએ બાળકોના પિતા સાથે વાત કરી અને 50 લાખની ખંડણી માંગી. પોલીસ વારંવાર પિતાને સમજાવી રહી હતી કે તેમણે માત્ર આરોપી સાથે વાત કરતા રહેવું જોઈએ અને તે દરમિયાન પોલીસે ફોન સર્વેલન્સ પર મૂકી દીધો જેના કારણે પોલીસ દરેક ક્ષણે લોકેશન મેળવતી રહી. પોલીસે અપહરણ કરાયેલા બાળકો અને વાહનનો પીછો ચાલુ રાખ્યો.

અપહરણકર્તાએ બાળકોના પિતા પાસેથી 50 લાખની ખંડણી માંગી

જ્યારે આરોપી વિકાસ માર્ગ પર હીરા સ્વીટ્સથી બાળકો સાથે કારમાં નીકળ્યો ત્યારે તે પહેલા વજીરાબાદ પહોંચ્યો. વજીરાબાદથી નિરંકારી કોલોની, નિરંકારી કોલોનીથી અશોક વિહાર અને અશોક વિહારથી આરોપીઓએ યુ ટર્ન લીધો અને વાહનને શાલીમાર તરફ ફેરવ્યું,  શાલીમાર બાગ થઈને આરોપી બાળકો સાથે બુરારી ચોક પહોંચ્યો. બુરારી ચોકથી વાહન મુકરબા ચોક પહોંચ્યું અને મુકરબા ચોકથી આરોપી બાળકો સાથે વાહનમાં અલીપુર પહોંચ્યો. અલીપુર થઈને તે સીધો બાદલી રેલવે સ્ટેશન પહોંચ્યો, પરંતુ આખી મુસાફરી દરમિયાન આરોપી પિતાને વારંવાર ધમકી આપતો હતો કે જો તેણે પોલીસને કહ્યું તો તે તેના બાળકોને મારી નાંખશે. આટલું જ નહીં, બાળકોને કંટ્રોલમાં રાખવા માટે, આરોપીએ 2 વર્ષની બાળકીને સામે બેસાડી અને તેની મોટી બહેનને ધમકી આપી કે જો તે ચીસો પાડશે તો તે તેનો પગ ચોપરથી કાપી નાખશે.

પોલીસને જોઈને અપહરણકર્તા કાર અને બાળકોને છોડીને ભાગી ગયો

આ દરમિયાન આરોપીએ રૂ.2000નું ઈંધણ પણ કારમાં નાખ્યું હતું અને બાળકોના પિતા સાથે વાત કરતાં તેણે કારમાં ઓઈલ નાંખી ગોવા જવાનો હોવાનું જણાવ્યું હતું. બાળકોના પિતા વારંવાર તેને બાળકોને છોડી દેવા માટે કહેતા હતા અને તેને તેની વાતોમાં વ્યસ્ત રાખતા હતા. પરંતુ જ્યારે આરોપી કારમાં બાળકો સાથે બાદલી રેલવે સ્ટેશન પહોંચ્યો ત્યારે તેને ખબર પડી કે પોલીસ તેનો પીછો કરી રહી છે અને થોડી જ ક્ષણોમાં તેને પકડી લેશે. પોલીસના ડરથી આરોપી બાઈક અને વાહન રેલવે સ્ટેશન પર મુકીને સ્થળ પરથી ભાગી ગયો હતો.

પોલીસ અપહરણકર્તાને શોધવામાં વ્યસ્ત

આ પછી, પિતાએ ફરી એકવાર કારમાં રાખેલા ફોન પર ફોન કર્યો, પછી છોકરીએ ફોન ઉપાડ્યો અને તેના પિતાને કહ્યું કે, કાકા ગયા છે અને તે આ સમયે ક્યાં છે તેની તેને ખબર નથી. જે બાદ પિતાએ તેની પુત્રીને કહ્યું કે, નજીકમાં કોઈ વ્યક્તિ હાજર હોય તો તેને તેની સાથે વાત કરાવ. જે બાદ એક રાહદારી સાથે વાત થઈ અને તેણે જણાવ્યું કે, કાર અને બાળકો બાદલી રેલવે સ્ટેશન પર છે. આ સમગ્ર ઓપરેશનમાં દિલ્હી પોલીસ અને રેલવે પોલીસના ત્રણ જિલ્લાની પોલીસે બાળકોને અપહરણકારોથી બચાવવા સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. આ કામગીરીમાં પોલીસના 20 જેટલા વાહનો આરોપીની કારનો પીછો કરી રહ્યા હતા. આ ઓપરેશનમાં 50થી વધુ પોલીસકર્મીઓ સામેલ હતા. હાલ દિલ્હી પોલીસ આરોપી અપહરણકર્તાને શોધવામાં વ્યસ્ત છે.

આ પણ જુઓ: મહેસાણામાં ખુલ્લેઆમ ચાલતા દારૂના અડ્ડાઓ પર SMCની રેડ, 5.49 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

Back to top button