મુઝફ્ફરનગરમાં કાર ટ્રક સાથે અથડાઈ, કારમાં સવાર 6 લોકોના મૃત્યુ


- આ અકસ્માતમાં કારને સંપૂર્ણ નુકસાન થયું છે
- માહિતી મળતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહોને બહાર કાઢ્યા હતા
- એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે તમામ મૃતકો દિલ્હીના રહેવાસી હતા
ઉત્તર પ્રદેશ: મુઝફ્ફરનગરમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. આ અકસ્માત નેશનલ હાઈવે 58 પર થયો હતો. અહીં એક ઝડપી કારે ટ્રકને પાછળથી જોરથી ટક્કર મારી હતી. આ અકસ્માતમાં કારમાં સવાર તમામ 6 લોકોના કરૂણ મૃત્યુ નિપજ્યા હતા. ઘટનાની માહિતી મળતા જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો. કારમાંથી મૃતદેહોને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. તમામ મૃતકો દિલ્હી શાહદરાના રહેવાસી હોવાનું કહેવાય છે.
અહેવાલો મુજબ કાર દિલ્હીથી હરિદ્વાર જઈ રહી હતી. કાર પૂરપાટ ઝડપે હતી. ત્યારે ડ્રાઈવરે કાર પરથી કાબુ ગુમાવતા કાર ટ્રક સાથે અથડાઈ હતી. આ અકસ્માત સોમવારે મોડી રાત્રે થયો હતો. અકસ્માત બાદ રસ્તા પરથી પસાર થતા લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ક્રેનની મદદથી કારને ટ્રકની નીચેથી બહાર કાઢી હતી. આ અકસ્માત છપર પોલીસ સ્ટેશન વિસ્તારના રામપુર ત્રણ રસ્તા પાસે થયો હતો.
કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થયો છે. પોલીસે તેમના આઈડી દ્વારા મૃતકોની ઓળખ કરી હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે પરિવારને ઘટનાની જાણ કરવામાં આવી છે. પોલીસ અકસ્માતનાં કારણોની તપાસ કરી રહી છે. ડ્રાઇવરે કાર પરનો કાબૂ કેમ ગુમાવ્યો તેની તપાસ કરવામાં આવી રહી છે. કારમાં જ કોઈ ટેકનિકલ સમસ્યા હતી કે કેમ જેના કારણે અકસ્માત થયો તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.
પોલીસ અધિકારીએ જણાવ્યું કે પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે. તમામ મૃતકો એક જ પરિવારના હતા. કહેવામાં આવી રહ્યું છે કે પોલીસ પાસેથી માહિતી મળતા જ પરિવારના સભ્યો મુઝફ્ફરનગર આવી રહ્યા છે. પોલીસે જણાવ્યું કે, કાર સવારો હરિદ્વાર કેમ જઈ રહ્યા હતા તે પરિવારના સભ્યો જ કહી શકશે.
આ પણ વાંચો, ભાઈબીજે બહેનના ઘરે જમવાનું શું છે મહત્ત્વ? કપાળે તિલક કેમ કરવું?