ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

અગ્નિવીરમાં જોડાવા માંગતા ઉમેદવારો 22 માર્ચ સુધી અરજી કરી શકશે, જાણો વધુ વિગત

Text To Speech

અમદાવાદ, 27 ફેબ્રુઆરી: અગ્નિવીર તરીકે ભારતીય ભૂમિદળ(ઈન્ડીયન આર્મી)માં જોડાવા માંગતા ઉમેદવારો માટે સારા સમાચાર છે. ઉમેદવારો તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે દેશદાઝ ધરાવતા અવિવાહિત શારીરિક સશક્ત પુરુષ ઉમેદવારો આર્મીની વિવિધ કેડરની ભરતીમાં જોડાવવા ઇચ્છુક હોય તેવા ઉમેદવારો માટે ભરતી પડી છે. જે અહીં આપેલી વેબસાઈડ www.joinindianarmy.nic.in પર જઈ પોતાની અરજી કરી શકે છે.

ભરતી માટે શું જરુરી?

જેમાં યોગ્ય પાત્રતા ધરાવતા ઉમેદવારે Personal Details, Communication Details, Educational Details તેમજ જાતિનો દાખલો, ડોમીસાઇલ સર્ટીફિકેટ અને NCC સર્ટીફિકેટ ધરાવતા હોય તો તેની વિગત દર્શાવવાની રહેશે. તદુપરાંત, ઉમેદવારે અચૂકપણે પોતાનું રહેઠાણનું સરનામું, ઇ-મેઇલ એડ્રેસ તેમજ મોબાઇલ નંબર જેવી વિગતો ઓનલાઇન અરજીમાં ભરવાની રહેશે.

અરજીની છેલ્લી તારીખ 22 માર્ચ

  • ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તા.૨૨/૦૩/૨૦૨૪ છે. જ્યારે ઓનલાઇન પરીક્ષા (CEE) તારીખ ૨૨/૦૪/૨૦૨૪ થી શરૂ થશે.

કયા ઉમેદવારો અરજી કરી શકે?

આ ભરતીમા ઓછામાં ઓછું ધો.૮ પાસ લાયકાત ધરાવતા તેમજ તા.૦૧/૧૦/૨૦૦૩ થી તા.૦૧/૦૪/૨૦૦૭ (બંને તારીખો સહિત)ની વચ્ચે જન્મેલા પુરુષ ઉમેદવારો અરજી કરી શકે છે. તેમજ રૂ.૨૫૦/- પરીક્ષા ફી ભરવાની રહેશે.

વધુ માહિતી માટે રોજગાર કચેરીઓનો સંપર્ક કરી શકાય

રાજ્યના મહત્તમ ઉમેદવારો આ પરીક્ષા પાસ કરીને પોતાનું ભાવી ઉજ્જવળ બનાવે તે હેતુથી દરેક જિલ્લાની રોજગાર કચેરીઓમાં કામકાજના સમય દરમિયાન નિ:શુલ્ક ધોરણે ઓનલાઈન અરજી કરી આપવામાં આવશે, તેમજ ભરતી પ્રક્રિયા અંગે વધુ માર્ગદર્શન પુરુ પાડવામાં આવશે. વધુ માહિતી મેળવવા માટે રુબરુમાં સ્વખર્ચે દરેક જિલ્લા રોજગાર કચેરીઓનો સંપર્ક કરી શકાય છે.

આ પણ વાંચો: EPFOમાં શા માટે દર ત્રણમાંથી એક ક્લેમ કેમ થઈ રહ્યો છે રિજેક્ટ? જાણો કારણ અને ઉપાય

Back to top button