ગુજરાતટોપ ન્યૂઝ

જુનીયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ થતા ઉમેદવારોને ST બસમાં નિઃશુલ્ક પરત લઈ જવાશે

Text To Speech

આજે રાજ્યભરમાં જુનીયર ક્લાર્કની પરીક્ષા યોજાનાર હતી પરંતુ આ પરીક્ષા લેવાઈ તે પહેલાં જ તેનું પ્રશ્નપત્ર ફૂટી જતા છેલ્લી ઘડીએ તેને મોકૂફ રાખવામાં આવી છે. જેના કારણે આ પરીક્ષા આપવા આવનાર 9.33 લાખ જેટલા ઉમેદવારોને ધરમ નો ધક્કો થયો છે. ત્યારે મંડળ દ્વારા તાત્કાલિક અસરથી એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે જેમાં બહારગામથી પરીક્ષા દેવા આવનાર ઉમેદવારોને વતન જવા STમાં વિનામૂલ્યે મુસાફરી કરવા દેવામાં આવશે તેવું જાહેર કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : જુનિયર કલાર્ક પર ગ્રહણ : વિદ્યાર્થીઓનો ડર સાચો પડ્યો, ગુજરાતમાં ફરી પેપર ફૂટ્યું

કેવી રીતે મુસાફરી કરી શકાશે ?

જુનીયર ક્લાર્કની પરીક્ષા રદ્દ કરવામાં આવતા લાખો યુવાનોના સ્વપ્ન રોળાયા છે. યુવા બેરોજગારો આ પરીક્ષા આપવા માટે પોતાના વતનથી દૂર આવ્યા છે ત્યારે તેમને પરત જવા મંડળ દ્વારા નિઃશુલ્ક એસટી બસની સગવડ કરી આપવામાં આવી છે ત્યારે પરીક્ષા આપવા ગયેલો ઉમેદવાર પરત આવવા માટે ST બસમાં પોતાની હોલ ટીકીટ અથવા કોલ લેટર અને તેની સાથે અસલ ઓળખકાર્ડ બતાવી વિનામુલ્યે મુસાફરી કરી શકશે.

Back to top button