ટ્રેન્ડિંગબિઝનેસવર્લ્ડહેલ્થ

7 મિનિટમાં કેન્સરની સારવાર, આ દેશમાં થયો ચમત્કાર!

  • બ્રિટનથી કેન્સરના દર્દીઓ માટે એક સારા સમાચાર આવ્યા છે. આરોગ્ય વિભાગનો દાવો છે કે હવે દર્દીઓને એવા ઈન્જેક્શન આપવામાં આવશે કે જેનાથી સારવારમાં લાગતો સમય ત્રણ-ચતુર્થાંશ જેટલો ઓછો થઈ જશે.

કેન્સરની બિમારીનો દર વર્ષે વ્યાપ વધી રહ્યો છે. જો કે સમય સાથે કેન્સરની બીમારીની ખબર પડી જાય તો તેની સામે લડત લડી શકાય છે. કેન્સરની સારવારના પડકારો અને દર્દીઓની વેદનાથી છુટકારો મેળવવા માટે યુકેના વૈજ્ઞાનિકોએ આવી રસી તૈયાર કરી છે કે, જેના વિશે દાવો કરવામાં આવી રહ્યો છે કે તે માત્ર સાત મિનિટમાં આ રોગને ઠીક કરી દેશે. મેડિકલ સાયન્સની પ્રગતિના આ યુગમાં કંઈ પણ શક્ય છે. બ્રિટિશ વૈજ્ઞાનિકો દ્વારા વિકસિત ઈન્જેક્શનથી કેન્સરની સારવાર માટે લાગતા સમયમાં નોંધપાત્ર રીતે ઘટાડો થશે.

દર્દીઓની સાથે તબીબોને પણ રાહત મળશે

‘રોયટર્સ’માં છપાયેલા અહેવાલ મુજબ, આ કેન્સરની રસી બનાવનારી ટીમે સરકાર પાસેથી મંજૂરી માંગી છે. તેમનું કહેવું છે કે આ મંજૂરી તેમને તેમના દર્દીઓને અનુકૂળ અને ઝડપી સંભાળ પૂરી પાડવાની મંજૂરી આપશે એટલું જ નહીં, ડૉક્ટરોને એક દિવસમાં પહેલા કરતાં વધુ દર્દીઓની સારવાર કરવામાં સક્ષમ બનાવશે.

રસીનું નામ અને કાર્ય પણ જાણો

બ્રિટનનું આરોગ્ય વિભાગ વિશ્વની પ્રથમ આવી સેવા પ્રદાન કરવા જઈ રહ્યું છે, જે દેશના સેંકડો કેન્સરના દર્દીઓને આ ‘ચમત્કારિક’ ઈન્જેક્શન દ્વારા જલદીથી સાજા કરશે અને તેમની સારવાર માટે લાગતો સમય પણ ત્રણ-ચતુર્થાંશ જેટલો ઘટાડો કરશે. મેડિસિન એન્ડ હેલ્થકેર પ્રોડક્ટ્સ રેગ્યુલેટરી એજન્સી (MHRA) તરફથી મંજૂરી મળ્યા પછી, આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે અત્યાર સુધી ઇમ્યુનોથેરાપીથી સારવાર લેતા સેંકડો દર્દીઓને હવે એટેઝોલિઝુમાબના ઇન્જેક્શન આપવામાં આવશે, જે વધુ સારા પરિણામો આપશે.

‘એટેઝોલિઝુમાબ’ જેને ટેસેન્ટ્રિક તરીકે પણ ઓળખવામાં આવે છે, તેને ડાયરેક્ટ ઇન્ટ્રાવેનસ ઇન્જેક્શન તરીકે અથવા નસમાં ટીપાં દ્વારા આપવામાં આવશે. આ પ્રક્રિયામાં લગભગ 7 મિનિટનો સમય લાગશે અને દર્દીને શક્ય તેટલી વહેલી તકે રાહત મળશે.

ઇમ્યુનોથેરાપી સારવાર

એટેઝોલિઝુમાબ એ ઇમ્યુનોથેરાપી સારવાર છે. તે શરીરમાં કેન્સરના કોષોને શોધીને તેનો નાશ કરશે. હાલમાં આ સારવાર ફેફસા, સ્તન અને લીવરના કેન્સરના દર્દીઓને આપવામાં આવશે. આ કેન્સરની સારવારને સરળ બનાવવામાં ઘણી મદદ મળશે, એટલે કે દવા થોડા જ સમયમાં શરીરમાં પ્રવેશ કરશે અને કેન્સરના કોષોને ખતમ કરવાનું કામ કરશે.

ઇમ્યુનોથેરાપી સારવાર શું છે?

નિષ્ણાતોના મતે ઇમ્યુનોથેરાપી સારવારમાં શરીરની રોગપ્રતિકારક શક્તિ સક્રિય થાય છે. આ સાથે તે કેન્સરના કોષોને ઓળખે છે અને તેનો નાશ કરે છે. આ ઈન્જેક્શન દ્વારા કેન્સરના દર્દીઓના શરીરમાં ઈમ્યુનોથેરાપી દવાઓ પહોંચાડવામાં આવશે. જેના કારણે તે કેન્સરના કોષોને ખતમ કરશે. ઇમ્યુનોથેરાપી એ કેન્સરની સારવારનો એક ભાગ છે, જો કે હાલમાં તે માત્ર થોડા જ દેશોમાં પ્રેક્ટિસ કરવામાં આવે છે.

શા માટે આ શોધને ચમત્કાર ગણવામાં આવે છે?

સમગ્ર વિશ્વમાં કેન્સરની બિમારીએ ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. દર વર્ષે લાખો લોકો આ રોગથી મૃત્યુ પામે છે. સ્ત્રીઓમાં સ્તન અને અંડાશયના કેન્સર અને પુરુષોમાં પ્રોસ્ટેટ કેન્સરના કેસ ઝડપથી વધી રહ્યા છે. કેન્સર પીડિતોનું કહેવું છે કે કીમોથેરાપી એ પીડાદાયક સારવાર છે. આવા જ એક સવાલના જવાબમાં ઈંગ્લેન્ડની કેન્સર ઈન્સ્ટિટ્યૂટના નેશનલ ડાયરેક્ટર પ્રોફેસર પીટર જોન્સને કહ્યું, ‘વિશ્વમાં આ પ્રકારની સારવારથી દર્દીઓને હોસ્પિટલમાં ઓછું રહેવું પડશે. સાથે જ કીમોથેરાપી જેવી જટિલ સારવારમાં ડોક્ટરો કિંમતી સમય બચાવી શકશે. કેન્સરના દર્દીઓ માટે તેમની સારવાર દરમિયાન જીવનની શ્રેષ્ઠ ગુણવત્તા જાળવવી અમારા માટે અત્યંત મહત્વપૂર્ણ છે, તેથી ત્વચાના ઇન્જેક્શન કેન્સરની સારવારમાં મોટી ક્રાંતિ લાવશે.

આ પણ વાંચો: મહિલાઓમાં હાર્ટ એટેક 21 ટકાથી વધીને 31 ટકા થયો, જાણો હાર્ટ એટેકના લક્ષણો

Back to top button