

હિન્દુ ધર્મમાં વસંતપંચમીના પર્વનું વિશેષ મહત્ત્વ છે. આ દિવસે માતા સરસ્વતીની પુજા કરવામાં આવે છે. ભારતમાં આ દિવસથી વસંત ઋતુની શરૂઆત થાય છે. વસંત પંચમીના દિવસે કેટલીક વસ્તુઓ ખરીદવાનું અત્યંત શુભ મનાયુ છે. લગ્ન માટે પણ આજે ઘણાં મુહુર્તો છે. વસંતપંચમીના દિવસે તમે કેટલીક વસ્તુઓ ઘરમાં લાવીને રાખી દો તો તમારી કિસ્મત ચમકી ઉઠશે. તમારા બગડી રહેલા કામ પણ સુધરી જશે.
પીળો ક્રિસ્ટલ બોલ
વસંતપંચમીના દિવસે પીળા રંગનું ખાસ મહત્ત્વ હોય છે. આ દિવસે પીળો ક્રિસ્ટલ બોલ જરૂર ખરીદવો જોઇએ. તેને મેગનેટ પર લગાવવો જોઇએ. આમ કરવાથી બાળકોના અભ્યાસમાં આવતી સમસ્યાઓ દુર થાય છે.
મોરપીંછ
વસંતપંચમીના દિવસે મોરપીંછનું ખાસ મહત્ત્વ છે. આ દિવસે મોરપંખી છોડ તમારા ઘરની પુર્વ દિશામાં લગાવવો જોઇએ. એવી માન્યતા છે કે આમ કરવાથી માતા સરસ્વતી અને માતા લક્ષ્મીનો તમારા ઘરમાં વાસ થાય છે.
વાંસળી
વસંતપંચમીના દિવસે વાંસળીનુ વિશેષ મહત્ત્વ હોય છે. આ દિવસે વાંસળી માતા સરસ્વતીના ચરણોમાં જરૂર અર્પિત કરવી જોઇએ. એવી માન્યતા છે કે આમ કરવાથી માતા સરસ્વતીની કૃપા વરસે છે.