ટોપ ન્યૂઝનેશનલ

Breaking News : દિલ્હી – એનસીઆરમાં ફરી ભુકંપના આંચકા, અઠવાડિયામાં બીજીવાર ધરા ધ્રુજી

Text To Speech

દેશની રાજધાની દિલ્હી અને એનસીઆર વિસ્તારમાં આજે શનિવારે સમી સાંજે ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે. સાંજે 8 કલાકે ભુકંપ આવ્યાનું જાણવા મળ્યું છે. ત્યારે તે કેટલી તિવ્રતાનો હતો ? તેનું કેન્દ્રબિંદુ શું હતું ? તે હજુસુધી સત્તાવાર રીતે જાણવા મળ્યું નથી. પરંતુ આ અઠવાડિયામાં ભુકંપનો આ બીજો આંચકો આવ્યો છે જેના કારણે લોકોમાં ભય વ્યાપી ગયો છે.

ત્રણ દિવસ પહેલા પણ 6.3 ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો

ઉલ્લેખનીય છે કે, દેશના પાટનગર દિલ્હી અને નેપાળ બોર્ડરના વિસ્તાર પાસે મોડી રાત્રે 2 ના સમયગાળા દરમિયાન ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. આ ભૂકંપની તિવ્રતા 6.3 રિક્ટરસ્કેલ હોવાનું જાણવામાં આવ્યું હતું. દિલ્હી ઉપરાંત નેપાળમાં પણ ભૂકંપનો અનુભવ થયો હોવાનું જાણવા મળ્યું હતું. જેમાં આશરે 6 લોકોના મોત થયા હતા. દિલ્હીના ઘણા વિસ્તારોમાં રાત્રે લગભગ 1.57 વાગ્યે આ ભૂકંપના આંચકાથી લોકો અચાનક જાગી ગયા હતા. લોકો ગભરાઈને ઘરોની બહાર નીકળી ગયા હતા. જો કે ભૂકંપના કારણે દિલ્હી-એનસીઆરમાં કોઈ જાનહાનીના અહેવાલ મળ્યા નથી. સિસ્મોલોજી સેન્ટર અનુસાર, તેનું કેન્દ્ર નેપાળ સરહદ નજીક ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લાના 90 કિમી દક્ષિણપૂર્વમાં હતું.

 

Back to top button