ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

મુંબઈથી ન્યૂયોર્ક જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં બોમ્બની ધમકી, ફ્લાઈટ પરત મુંબઈ ઉતારાઈ

Text To Speech

મુંબઈ, 10 માર્ચ : મુંબઈથી ન્યૂયોર્ક જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં બોમ્બ મુકાયો હોવાની માહિતી મળતાં તેને મુંબઈ પરત લાવવામાં આવી હતી. આ અંગે સત્તાવાર સૂત્રોએ આ માહિતી આપી હતી. વિમાનમાં 320 થી વધુ લોકો સવાર હતા અને તે સુરક્ષિત રીતે મુંબઈમાં ઉતરી ગયું હતું. સુરક્ષા એજન્સીઓ આ અંગે તપાસ કરી રહી છે.

વિમાનમાં 322 લોકો સવાર હતા

એર ઈન્ડિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આજે 10 માર્ચ 2025 મુંબઈ-ન્યૂયોર્ક (JFK) ફ્લાઈટ AI 119 માં સંભવિત સુરક્ષા ખતરો જોવા મળ્યો હતો. જરૂરી પ્રોટોકોલનું પાલન કર્યા બાદ વિમાનમાં સવાર તમામ લોકોની સુરક્ષાના હિતમાં વિમાનને પરત મુંબઈ લઈ જવામાં આવ્યું હતું. એક સૂત્રએ જણાવ્યું કે બોઇંગ 777-300 ER એરક્રાફ્ટમાં 19 ક્રૂ મેમ્બર સહિત 322 લોકો સવાર હતા.

એર ઈન્ડિયાના પ્રવક્તાએ શું કહ્યું?

એર ઈન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આજે 10 માર્ચે મુંબઈ-ન્યૂયોર્ક (JFK) ફ્લાઈટ AI119ની ફ્લાઈટ દરમિયાન સંભવિત સુરક્ષા ખતરા મળી આવ્યા હતા. જરૂરી પ્રોટોકોલનું પાલન કર્યા બાદ વિમાનમાં સવાર તમામ લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વિમાનને મુંબઈ પરત લઈ જવામાં આવ્યું હતું. એરક્રાફ્ટ 1025 કલાકે (સ્થાનિક સમય) પર મુંબઈમાં સુરક્ષિત રીતે ઉતર્યું હતું, અને એર ઈન્ડિયા તેના અધિકારીઓને સંપૂર્ણ સહયોગ આપી રહી છે.

આ પણ વાંચો :- ભારતની જીતનો ખરો હકદાર કોચ ગૌતમ ગંભીર છે, જાણો કેમ

Back to top button