ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

ભાજપના હાર્દિક પટેલે ગુજરાતના પાટીદારો વિશે કહી આ ખાસ વાત, પરિણામોના પત્તા ખુલી ગયા

Text To Speech

ગુજરાત ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. જેમાં ગુજરાતમાં પ્રચાર માટે વિવિધ પક્ષના દિગ્ગ્જો આવી ગયા છે. તેમાં વડાપ્રધાન મોદી પણ ધડાધડ સભાઓ ગજવી રહ્યાં છે. જેમાં કોંગ્રેસના રાહુલ ગાંધી અને આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ પણ ગુજરાતમાં ધામા નાખી ચુક્યા છે. ત્યારે પાટીદાર આંનદોલનથી પ્રચલિત થયેલો હાર્દિક પટેલ ભાજપમાં જઇ બેઠો છે. ત્યારે પોતે પાટીદારોના વોટ બાબતે ખુલાસા આપી રહ્યો છે.

આ પણ વાંચો : નવા જૂની થશે! ગાંધીનગર સર્કિટ હાઉસ જવાના બદલે PM મોદીનો કાફલો કમલમ્ પહોંચ્યો

પટેલો ભાજપને પ્રચંડ બહુમત મળે તે નક્કી કરશે

હાર્દિકે કહ્યું કે EWSથી ભાજપને ખૂબ ફાયદો થશે. પાછલી વખતે પાટીદાર આંદોલનથી લગભગ 20 સીટો પર પ્રત્યક્ષ રીતે અસર કરી હતી અને ઘણી અન્ય સીટો પર અપ્રત્યક્ષ અસર થઈ હતી. પરંતુ હવે માત્ર પટેલ જ નહીં અન્ય ઘણા સમાજને પણ અનામતનો લાભ મળશે.

આ પણ વાંચો: ગુજરાતમાં ચૂંટણીનો કમાભાઇએ રંગ જમાવ્યો જુઓ Video

2017માં ચૂંટણીમાં સ્થિતિ અલગ હતી અને મુદ્દા અલગ હતા

ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલે એક ઈન્ટરવ્યૂમાં આ વખતની ચૂંટણી વિશે જણાવ્યું હતું કે 2017માં ચૂંટણીમાં સ્થિતિ અલગ હતી અને મુદ્દા અલગ હતા. પરંતુ હવે પાટીદારો એક છે. તે PM મોદી સાથે ઊભા છે. એક ન્યૂઝ એજન્સી આપેલા ઈન્ટરવ્યૂમાં હાર્દિકે કહ્યું કે પાટીદાર એક છે. તેમણે PM મોદીને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. 2017ની ચૂંટણીમાં મુદ્દો અલગ હતો. 10 ટકા EWS ક્વોટાથી ગુજરાતમાં પટેલો સહિત અન્ય વર્ગોથી ગરીબો અને વંચિતો માટે આરક્ષણનો લાભ
વધાર્યો છે. આ વખતે પટેલો ભાજપને પ્રચંડ બહુમત મળે તે નક્કી કરશે.

આ પણ વાંચો: અમિત શાહ પરથી મોટી ઘાત ટળી, પ્લેનમાં ટેકનીકલ ખામી સર્જાતા ભાજપમાં દોડધામ

કેજરીવાલ વિશે હાર્દિકે નિવેદન આપ્યું

AAPને લઈને સવાલ પૂછતા હાર્દિક પટેલે કહ્યું કે તે અરવિંદ કેજરીવાલના નેતૃત્વવાળી પાર્ટીને ભાજપ માટે કોઈ ખાસ પડકાર તરીકે જોતા નથી. કોંગ્રેસ જ પ્રતિદ્વંદ્વી છે. જોકે ચૂંટણીમાં તે ઘણા અંતરથી બીજા નંબર પર રહેશે. તેમણે કહ્યું કે AAP ચૂંટણી લડવા માટે આઝાદ છે. પરંતુ ભગવાન વિષ્ણુ અને મહેશ પર તેમના નેતાઓની ટિપ્પણીઓએ ગુજરાતના લોકોની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડી છે.

Back to top button