મનોરંજન

વધુ એક અભિનેતાનું મૃત્યું, 35 વર્ષની ઉંમરમાં આત્મહત્યા કરી લીધી, ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર

Text To Speech
  • કન્નડ ટીવી ઈન્ડસ્ટ્રીમાંથી મોટા સમાચાર સામે આવ્યા
  • પ્રખ્યાત કન્નડ ટીવી એક્ટર સંપત જે રામનું નિધન
  • સમાચાર મુજબ સંપત જે રામે આત્મહત્યા કરી લીધી

કન્નડ ટીવી ઈન્ડસ્ટ્રીમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પ્રખ્યાત કન્નડ ટીવી એક્ટર સંપત જે રામનું નિધન થયું છે. સમાચાર મુજબ સંપત જે રામે આત્મહત્યા કરીને પોતાનો જીવ ગુમાવ્યો છે. 35 વર્ષની વયે સંપત જે રામના અવસાનથી દરેક જણ આઘાત અને નિરાશ છે. સંપત જે રામના નિધનના સમાચાર સાંભળીને ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર છે.

કન્નડ ટીવી એક્ટર સંપત જે રામ મૃત્યુને ભેટ્યા

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 22 એપ્રિલે કન્નડ ટીવી ઈન્ડસ્ટ્રીના જાણીતા કલાકાર સંપત જે રામે મોતને ભેટી છે. જણાવવામાં આવી રહ્યું છે કે સંપત જે રામે કર્ણાટકના નેલમંગલા સ્થિત પોતાના ઘરે આત્મહત્યા કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સંપત જે રામ તેમના અંગત જીવનમાં સમસ્યાઓના કારણે ઘણા સમયથી ડિપ્રેશનમાં ચાલી રહ્યા હતા. કન્નડ ટીવી એક્ટર સંપત જે રામ પોતાની કારકિર્દીમાં ઉતાર-ચઢાવ અને સતત કામ ન મળવાને કારણે ખૂબ જ પરેશાન હતા. જેના કારણે જીવનથી કંટાળીને સંપત જે રામે શનિવારે આત્મહત્યા કરી લીધી હતી. જો કે હજુ સુધી આ મામલે સંપત જે રામના પરિવાર તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. કહેવામાં આવી રહ્યું છે કે સંપત જે રામના અંતિમ સંસ્કાર આજે કરવામાં આવી શકે છે. જો કે, હજુ સુધી સંપતના મૃત્યુ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

 

સંપત જે રામે આત્મહત્યા કેમ કરી?

સંપત જે રામના નિધનના સમાચારે કન્નડ સિનેમા જગતને હચમચાવી દીધું છે. કન્નડ ટીવી સીરિયલ ‘અગ્નિસાક્ષી’માં સંપત જે રામે પોતાના અદભૂત અભિનયથી સૌના દિલ જીતી લીધા હતા. સમાચારમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે કામની અછતને કારણે કન્નડ અભિનેતા આર્થિક તંગીના કારણે ઘણો પરેશાન હતો. જેના કારણે સંપત જે રામે જીવ ગુમાવવાનું પગલું ભર્યું છે.

આ પણ વાંચો : આસામ પોલીસે યુથ કોંગ્રેસ પ્રમુખ શ્રીનિવાસને નોટિસ આપી, મહિલા નેતાની ફરિયાદ પર થઈ શકે છે ધરપકડ

Back to top button