ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

ભાવનગર રેલવે ડિવિઝનઃ ‘વન સ્ટેશન વન પ્રોડક્ટ’ યોજના માટે મગાવાઈ અરજીઓ

Text To Speech

ભાવનગર, 03 જાન્યુઆરી : દેશભરમાં સ્થાનિક ઉત્પાદનોને લોકપ્રિય બનાવવાના ઉદ્દેશ્ય સાથે, ‘વન સ્ટેશન વન પ્રોડક્ટ’ યોજના દેશના મોટાભાગના સ્ટેશનો પર લાગુ કરવામાં આવી છે. “વન સ્ટેશન વન પ્રોડક્ટ” યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય રેલ્વેનો ઉપયોગ કરીને સ્થાનિક ઉત્પાદનની સપ્લાય ચેઇનને સુધારવાનો છે. આ માટે ભાવનગર રેલ્વે મંડળ દ્વારા ‘વન સ્ટેશન વન પ્રોડક્ટ’ યોજના હેઠળ સ્ટેશનો પર સ્ટોલ લાગવા માટે અરજીઓ મંગાવવાની શરૂઆત થઈ ગઈ છે.

ભાવનગર ડીવિઝનના સીનિયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા મુજબ, આ યોજના હેઠળ ભાવનગર મંડળના તાલાલા, બોટાદ અને સોનગઢમાં સ્ટોલ અને ગાંધીગ્રામ સ્ટેશન પર ટ્રોલી સ્થાપવા માટે રસ ધરાવતા વ્યક્તિઓ/સંસ્થાઓ પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. ઉપરોક્ત સ્ટેશનો માટે, આ સ્ટોલ/ટ્રોલી વિવિધ વિક્રેતાઓને પ્રાયોગિક ધોરણે મામૂલી ટોકન રકમ રૂ. 1000/-માં 15 દિવસ માટે આપવામાં આવશે. જે અંતર્ગત સ્થાનિક હસ્તકલા, સ્થાનિક ખાદ્યપદાર્થો, સ્વ-સહાય જૂથો દ્વારા ઉત્પાદિત ઉત્પાદનો, કાપડ અને હથકરઘા, સ્થાનિક રમકડાં, ચામડાની બનાવટો, પરંપરાગત ઉપકરણ, વસ્ત્રો વગેરે આ ઉપરાંત અન્ય ઉત્પાદનોનું પ્રદર્શન અને વેચાણ કરી શકાશે. આ યોજનામાં વ્યક્તિગત કારીગરો/શિલ્પકારો અને સ્વ-સહાય જૂથો જેવી સંસ્થાઓ ભાગ લઈ શકશે.

આ યોજનાનો લાભ મેળવવા માટે, ઉત્પાદકો, ડેવલપમેન્ટ કમિશનર/રાજ્ય/કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલ ઓળખ કાર્ડ, TRIFED નોંધણી, નોંધાયેલ સ્વૈચ્છિક સંસ્થાઓ અથવા સમાજના નબળા વર્ગના લોકો અરજી કરી શકે છે. આ વિષય પર વિશેષ માહિતી માટે, ડિવિઝનલ રેલ્વે મેનેજર, વાણિજ્ય વિભાગ, ભાવનગર ખાતે સોમવારથી શુક્રવાર સવારે 9.30 થી સાંજે 06.00 વાગ્યા શુધી મુલાકાત લઈ શકાશે અથવા મોબાઇલ નંબર 9429216075 પર સંપર્ક કરી શકાશે.

આ ઉપરાંત, ઉપરોક્ત સ્ટેશનો પર રેલ્વે દ્વારા સ્ટોલ/ટ્રોલી આપવામાં આવશે. રસ ધરાવતા લોકો અન્ય સ્ટેશનો માટે પણ સંપર્ક કરી શકે છે.

આ પણ વાંચો : ‘રામજીને એકલા ન રાખો’, રામાયણની સીતાએ PM મોદીને કેમ કરી આ અપીલ!

Back to top button