WTC ફાઇનલમાં હાર બાદ કોચ રાહુલ દ્રવિડને BCCIની ચેતવણી, લેવામાં આવી શકે છે મોટો નિર્ણય


BCCIએ હવે WTC ફાઇનલમાં હાર બાદ ટીમના સપોર્ટ સ્ટાફને ચેતવણી મોકલી છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચમાં હાર બાદ ભારતીય ટીમના ખેલાડીઓની સાથે ટીમના સપોર્ટ સ્ટાફની પણ ટીકા થઈ રહી છે. વર્ષ 2013માં છેલ્લી વખત આઈસીસી ટ્રોફી જીતનારી ભારતીય ટીમ આઈસીસી ઈવેન્ટમાં ફાઇનલમાં પહોંચવામાં સફળ રહી પરંતુ હજુ પણ વિજેતા બનવામાં સફળ થઈ શકી નથી.

ODI વર્લ્ડ 2023ને ધ્યાનમાં રાખીને WTC ફાઇનલમાં ભારતીય ટીમના પ્રદર્શન બાદ BCCI અધિકારીના નિવેદન અનુસાર, આ હાર બાદ બેટિંગ કોચ વિક્રમ રાઠોડ અને બોલિંગ કોચ પારસ મ્હામ્બરેની સ્થિતિ કેવી હશે.
#TeamIndia fought hard but it was Australia who won the match.
Congratulations to Australia on winning the #WTC23 Final.
Scorecard ▶️ https://t.co/0nYl21pwaw pic.twitter.com/hMYuho3R3C
— BCCI (@BCCI) June 11, 2023
BCCIના અધિકારીએ કહ્યું કે આ બધી વસ્તુઓ એટલી સરળ નથી. આપણે એમ ન કહી શકીએ કે બધી વસ્તુઓ સારી નહોતી. અમે ભારતમાં જીતવામાં સફળ રહ્યા. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવું એ કોઈ મજાક નથી. પરંતુ વિદેશ પ્રવાસમાં અમારું પ્રદર્શન અપેક્ષા મુજબ રહ્યું નથી. આપણે ODI વર્લ્ડ કપને પણ ધ્યાનમાં રાખવું જોઈએ, જે ફક્ત 4 મહિના દૂર છે. આપણે વિચાર્યા વિના પ્રતિક્રિયા આપી શકતા નથી. પરંતુ ચોક્કસપણે આંતરિક ચર્ચા થશે.
રાહુલ દ્રવિડની સ્થિતિ અંગે શું છે સ્થિતિ?
ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડના પદની વાત કરીએ તો તે 2023 ODI વર્લ્ડ કપ સુધી આ જવાબદારી નિભાવતો જોવા મળશે. એશિયા કપ, T20 વર્લ્ડ કપ અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં હાર બાદ પણ બોર્ડને તેના પર વિશ્વાસ છે. ODI વર્લ્ડ કપમાં તેના પ્રદર્શનના આધારે દ્રવિડની સ્થિતિ પર વધુ ચર્ચા કરવામાં આવશે.