Diwali 2023ટ્રેન્ડિંગધર્મ

બેન્ડ, બાજા ઔર બારાત થશે શરૂઃ  આ વર્ષે લગ્નના મુહૂર્ત ઓછા

Text To Speech
  • લગ્નનું પહેલું મુહૂર્ત 27 નવેમ્બરે 
  • ડિસેમ્બરમાં સૌથી વધુ લગ્નો યોજાશે
  • ગયા વર્ષ કરતા આ વર્ષે મુહૂર્ત ઓછા

તુલસીવિવાહ બાદ શુભ લગ્નોનો પ્રારંભ થઈ જતો હોય છે. નૂતન વર્ષ વિક્રમ સંવત 2080માં લગ્નના 44 મુહૂર્તો છે. આ વખતે ગુરુ-શુક્રના અસ્તના કારણે મે મહિનામાં એક પણ  લગ્નના મુહૂર્ત નથી. જયારે ચાલુ નવેમ્બર માસમાં આગામી 27 તારીખે લગ્નનું પ્રથમ શુભ મુહૂર્ત છે. ગત વર્ષે લગ્નના 63 શુભ મુહૂર્તો હતા જયારે આ વર્ષે માત્ર 44 શુભ મુહૂર્તો છે.

બેન્ડ, બાજા ઓર બારાત થશે શરૂઃ ગયા વર્ષ કરતા આ વર્ષે લગ્નના મુહૂર્ત ઓછા hum dekhenge news

મે મહિનામાં લગ્નના એક પણ મુહૂર્ત નહિ

નવેમ્બરમાં તારીખ 27, 28 તથા 29ના દિવસો લગ્ન માટે શુભ છે. ડિસેમ્બર મહિનામાં તારીખ 6, 7, 8, 14, 15 શુભ છે. આમ ધનારક કમુર્તા પહેલા લગ્નના આઠ મુહુર્ત છે. 16 ડિસેમ્બરથી 14 ડિસેમ્બર સુધી ધનારક કમુર્તા હોવાથી આ સમયગાળામાં લગ્ન થઈ શકશે નહિં. જાન્યુઆરીમાં તારીખ 21, 22, 27, 28, 30 તથા 31 આ દિવસો લગ્ન માટે શુભ છે. ફેબ્રુઆરી મહિનામાં . 2, 4, 6, 12, 17, 18, 19, 24, 26, 27, 28 અને 29 તારીખે લગ્નના શુભ મુહૂર્તો છે. માર્ચ મહિનામાં તારીખ 2, 3, 4, 6, 11 અને 13ના શુભ મુહૂર્તો છે. ત્યારબાદ 14 માર્ચથી થી 13 એપ્રિલ સુધી મીનારક કમુર્તાના કારણે લગ્ન થઈ શકે નહી તથા 17 માર્ચથી 24 માર્ચ સુધી હોળાષ્ટક છે. આમ મીનારક તથા હોળાષ્ટકમાં લગ્ન નિષેધ છે. એપ્રિલ મહિનામાં લગ્નના ચાર મુહુર્તો છે. તારીખ 18, 21, 26 અને 28ના લગ્ન માટે શુભ દિવસ છે. ત્યારબાદ શુક્ર ગ્રહનો અસ્ત થતા તારીખ 1-5 થી 28-6 સુધી મુહૂર્ત નથી. જયારે ગુરુ ગ્રહનો અસ્ત તારીખ 7 જુનથી 2 જૂન સુધી છે. આમ ગુરુ તથા શુક્રના અસ્તમાં લગ્ન થઈ શકતા નથી. આથી મે મહિનામાં લગ્નના એક પણ મુહુર્ત નથી. જયારે જૂનમાં લગ્નના બે જ મુહુર્તો છે, 29 અને 30 જૂન. જુલાઈ મહિનામાં તારીખ 9, 11, 12, 13, 14 તથા 15ના મુહુર્તો છે.

બેન્ડ, બાજા ઓર બારાત થશે શરૂઃ ગયા વર્ષ કરતા આ વર્ષે લગ્નના મુહૂર્ત ઓછા hum dekhenge news

દેવશયની એકાદશી સુધી લગ્નોના મુહૂર્ત

17 જુલાઈના રોજ દેવશયની એકાદશી છે. દેવશયની એકાદશીના દિવસે દેવતાઓ પોઢી જાય છે. તેથી ત્યારબાદ લગ્નના મુહૂર્તો હોતા નથી. આગામી14મી ફેબ્રુઆરીએ વસંત પંચમી છે. જયારે અખાત્રીજ 10મી મેના રોજ છે, પરંતુ અખાત્રીજના દિવસે ગુરુ-શુક્રનો અસ્ત હોતા લગ્ન થઈ શકશે નહિ. વર્ષ દરમ્યાન લગ્નના માત્ર 44 મુહૂર્તો છે. તેમાં પણ ઉનાળામાં માત્ર 12 મુહૂર્તો છે. સૌથી વધારે ફેબ્રુઆરીમાં 12 લગ્નના મુહૂર્તો છે.

આ પણ વાંચોઃ દેવ દિવાળી ક્યારે? જાણો દીપદાનનું મહત્ત્વ અને શુભ મુહૂર્ત

Back to top button