ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: અમીરગઢના રબારીયામાં યુવકની હત્યા, હત્યારા ફરાર, પોલીસ તપાસ શરૂ

Text To Speech

પાલનપુર: બનાસકાંઠા જિલ્લાના આદિવાસી વિસ્તારમાં આવેલા અમીરગઢ તાલુકાના રબારીયા ગામમાં મંગળવારની રાત્રે કેટલાk અજાણ્યા હત્યારાઓએ એક યુવકની હત્યા કરી નાખી હતી અને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. જોકે આ ઘટનાની સવારે લોકોને જાણ થતા ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

યુવકની હત્યા-humdekhengenews

બનાસકાંઠા જિલ્લાના રબારીયા ગામમાં એક યુવકની હત્યા કરી દેવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. મંગળવારની રાત્રે ગામમાં રહેતા યુવકની કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા હત્યા કરી તેની લાશને ગામની સીમમાં ફેંકી દેવામાં આવી હતી. જ્યારે આ અંગેની વહેલી સવારે યુવકનો મૃતદેહ મળ્યો હોવાની ગામ લોકોને જાણ થઈ હતી. જેના સમાચાર આજુબાજુ પ્રસરતા મોટી સંખ્યામાં લોકોના ટોળા ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. બાદમાં હત્યાની ઘટના અંગે અમીરગઢ પોલીસને જાણ કરવામાં આવી હતી.

ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

જેના પગલે રબારીયા ગામમાં પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. અને હત્યા કરાયેલી જગ્યાએ પોલીસે પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જો કે આ યુવકની હત્યા કોણે કરી અને શા માટે કરી ? તે અંગે પોલીસ દ્વારા સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. અત્યારે પોલીસ દ્વારા અલગ અલગ પાસાઓને લઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

આ પણ વાંચો :CM મમતાને હાઈકોર્ટના નિર્દેશ, કહ્યું- હનુમાન જયંતિ પર સુરક્ષા નિશ્ચિત કરો, નહીં તો પેરા મિલિટ્રી ફોર્સને બોલાવો

Back to top button