ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : પાલનપુરમાં વિદ્યાર્થીનું અપહરણ, માર મારતાં સારવાર દરમ્યાન મોત

પાલનપુર: બનાસકાંઠા ના પાલનપુરના વિદ્યાર્થીના અપહરણની ઘટના બાદ માર મારતા સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. જેને લઇને મોદી સમાજ અને શહેરમાં આક્રોશનો માહોલ છે. મોદી સમાજ દ્વારા ગુનેગારોને ઝડપી લેવા માટે માગ કરવા આવી રહી છે. જ્યારે પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી છે.

પાલનપુરની કોલેજની સાયન્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરતો અને આયોધ્યા નગરમાં રહેતો આયર્ન ભરતભાઈ મોદી નામના વિદ્યાર્થીનું ગઈકાલે ડેરી રોડ પર આવેલી કોલેજમાંથી અજાણ્યા નંબરથી ફોન કરી કોલેજ બહાર બોલાવીને ગાડીમાં કેટલાક અજાણ્યા શખ્સો અપહરણ કરી લઈ ગયા હતા અને માર માર્યો હતો. ત્યારબાદ તેને છોડી દેવાયો હતો. જેથી ગંભીર રીતે ઘવાયેલા આયર્ન મોદીને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં રાત્રે સારવાર તેનું દરમિયાન મોત નિપજ્યું હતુ.

પાલનપુરના સિવિલમાં મોદી સમાજના લોકો એકઠા થયા  

આ ઘટનાના સમાચાર મોદી સમાજ માં પ્રસરતાં લોકોના ટોળા સિવિલમાં એકઠા થયા હતા, અને ભારે રોષ વ્યક્ત કર્યો હતો. તેમજ ગુનેગારોને ઝડપી લેવા સમાજ દ્વારા માગ કરવામાં આવી હતી. જ્યારે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવી હતી. આ ઘટના ને પગલે એસપી, પીઆઇ સહિત પોલીસનો કાફલો ઘટના ઘટના સ્થળે પહોંચ્યો હતો. અને પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી ગુનેગારો ને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ગુનેગારોને પકડવા સમાજની માગણી

જોકે મોદી સમાજના લોકોએ મોટી સંખ્યામાં એકઠા થઈ અને આરોપીઓને પકડી અને ન્યાય માટેની માંગ કરી છે. બીજી તરફ વિદ્યાર્થીના આ રીતે કરાયેલા અપહરણ થી વાલીઓમાં પણ ચિંતાની લાગણી પ્રસરી છે.

આ પણ વાંચો :સુરત : પાનની દુકાનની આડમાં પ્રતિબંધિત ઈ-સિગારેટનું વેચાણ, મુદામાલ સાથે આરોપીની ધરપકડ

Back to top button