ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: દાંતા પાસે રિક્ષા પલટી જતા અકસ્માત, 7 લોકોમાંથી 2ના મોત

Text To Speech

પાલનપુર: દાંતા તાલુકામાં મોટાભાગનું માર્ગ ઢોળાવ અને પહાડી વિસ્તાર હોવાના કારણે અવાર નવાર અકસ્માતો સર્જાતા હોય છે. ત્યારે દાંતા તાલુકામાં વધુ એક અકસ્માત સર્જાયો છે. દાંતા તાલુકામાં આવેલો હડાદ માર્ગ પર રિક્ષા પલટી જતા અકસ્માત સર્જાયો છે. જેમાં સવાર સાત લોકોમાંથી બે લોકોના મૃત્યુ થયા છે. બીજા ગંભીર ઈજા ગ્રસ્તોને અંબાજી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

પાંચ લોકો અંબાજી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ

અંબાજીથી ખેડબ્રહ્મા જતા હાઇવે માર્ગ પર હડાદ પોલીસ સ્ટેશન નજીક રિક્ષાને અકસ્માત નડ્યો છે. જેમાં રિક્ષા અંબાજી તરફથી ખેડબ્રહ્મા તરફ જતા સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવતા રિક્ષા પલટી જતા અકસ્માત સર્જાયો હતો. રિક્ષામાં સાત લોકો સવાર હતા. આ અકસ્માત સર્જાતા એક મહિલાનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. તો બીજા ઇજાગ્રસ્તોને ઇમરજન્સી 108 મારફતે અંબાજી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

અકસ્માત-humdekhengenews

ત્યારે બીજા ગંભીર ઈજા ગ્રસ્તોને અંબાજી સિવિલ હોસ્પિટલ ખાતે લાવતા વખતે વધુ એક ઇજાગ્રસ્તનું મોત થયું હતું. તો બીજા ઇજાગ્રસ્તોને સારવાર અર્થે અંબાજી સિવિલ હોસ્પિટલ ખાતે રાખવામાં આવ્યા છે. હડાદ પોલીસ સ્ટેશન નજીક રિક્ષા પલટી જતા અકસ્માત સર્જાયો છે. તો રિક્ષામા સાત લોકો સવાર હતા, જેમાં અકસ્માત સર્જાતા કુલ સાતમાંથી બે લોકોના મૃત્યુ થયા છે.

આ પણ વાંચો :બનાસકાંઠા: લાંચ લેતા ઝડપાયેલા પાલનપુરના સમાજ કલ્યાણ અધિકારીના ઘરમાંથી એસીબી ને રૂ. 27 લાખ રોકડા મળ્યા

Back to top button