ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : વાવાઝોડા મામલે ડીસામાં પોલીસ દ્વારા લોકોને એલર્ટ કરાયા

Text To Speech
  • પોલીસે લાઉડ સ્પીકર ફેરવી સતર્ક રહેવા અપીલ કરી

પાલનપુર : રાજ્યભરમાં ચિંતાની પરિસ્થિતિ ઉભી કરનાર બીપોરજોય વાવાઝોડું ત્રાટકવાની તૈયારી હોય સરકાર દ્વારા રાજ્યભરમાં એલર્ટ જાહેર કરી દેવાયુ છે. ત્યારે ડીસામાં પણ પોલીસ દ્વારા લાઉડ સ્પીકર ફેરવી નાગરિકોને સતત રહેવા અપીલ કરવામાં આવી હતી.

બીપોરજોય વાવાઝોડું ગુજરાતના દરિયા કાંઠે તારીખ 14 થી 16 સુધીમાં ટકરાઈ શકે છે. જેના કારણે હાલ સમગ્ર રાજ્યમાં ડરનો માહોલ ઊભો થયો છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વાવાઝોડા થી થતા સંભવિત નુકસાન સામે બચવા તાકીદ ની બેઠકો યોજી લોકોને સત્તર્ક રહેવા જણાવ્યું છે. ત્યારે ડીસામાં ડીસા શહેર ઉત્તર પોલીસ દ્વારા લાઉડ સ્પીકર ફેરવી ડીસાની જનતાને વાવાઝોડા અગાઉ અને ત્યારબાદ રાખવા જેવી સાવચેતી અંગે ટેલર કરવામાં આવી રહ્યા છે.

પોલીસ દ્વારા વાવાઝોડા ના માહોલ વચ્ચે ઘરના તમામ બારી બારણાઓ બંધ રાખવા, શક્ય હોય તો ઘરની બહાર ન નીકળવા, ઝાડ નીચે કે વીજ પોલ નીચે ન ઉભા રહેવા, ઘરમાં જરૂરી ચીજ વસ્તુઓ હાથવગી રાખવા, મોબાઈલ ચાર્જિંગ રાખવા, ઘરમાં ટોર્ચ રાખવા, અફવા ઉપર ધ્યાન ન આપવા તેમજ સરકારી માધ્યમ દ્વારા આવતી સૂચનાઓ નો અમલ કરવા સહિત સાવચેતીના પગલાં રાખવા લોકોને અપીલ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : બ્રેકિંગ: 16-17 જૂને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે: હવામાન વિભાગ

Back to top button