ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : પાલનપુર એરોમા સર્કલની ચારે બાજુ 150 મીટર સુધી હવે ‘નો પાર્કિંગ ઝોન’

Text To Speech
  • બનાસકાંઠા જિલ્લા કલેકટર દ્વારા પ્રસિદ્ધ કરાયું હતું જાહેરનામુ

પાલનપુર : પાલનપુર શહેરના પ્રવેશ દ્વારે આવેલું એરોમા સર્કલ દિવસ- રાત વાહનોના ટ્રાફિકથી સતત ધમધમતું રહે છે. આ સર્કલ ઉપર સવારે અને સાંજે ટ્રાફિક જામના દ્રશ્યો સામાન્ય બની ગયા છે. જ્યાં કલાકો સુધી વાહનનો ટ્રાફિક જામ માથાનો દુ:ખાવો બની ગયેલો છે. ત્યારે પાર્કિંગ અને ટ્રાફિકના પ્રશ્નોને નિવારવા માટે બનાસકાંઠા જિલ્લા કલેકટર વરુણ બરનવાલે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જેમાં એરોમા સર્કલ થી ચારે બાજુ 150 મીટરના અંતર સુધી ‘નો પાર્કિંગ ઝોન’ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં પાલનપુર એરોમા સર્કલની ચારે તરફ હોટલો, જીઇબી કચેરી તેમજ શાળા- કોલેજ, હોસ્પિટલ તેમજ જાહેર જનતાની ઘસારા વાળી જગ્યાઓ ઉપર સેવાના વાહનોને અડચણરૂપ થતી હોય છે. જેથી આ અંગે બનાસકાંઠા એસપીએ જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ દરખાસ્ત કરી હતી. જેને લઇને બનાસકાંઠા જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર એ આ જાહેરનામું બહાર પાડ્યું હતું. આ જાહેરનામાનો તારીખ 27 એપ્રિલ’23 થી અમલ શરૂ થઈ ગયો છે. જે આગામી 15 જૂન’23 સુધી અમલમાં રહેશે.

ભંગ કરનાર સામે થશે કાર્યવાહી આ જાહેરનામા નો જે કોઈ વ્યક્તિ ભંગ કરશે તેની સામે ભારતીય ફોજદારી ધારાની કલમ 188 અને ગુજરાત પોલીસ અધિનિયમ 1951 ની કલમ 131 મુજબ ફરિયાદ થઈ શકે છે. જેના માટે એસપી થી લઈને કોન્સ્ટેબલને ફરિયાદ કરવા માટેની સત્તા આપવામાં આવી છે.

આ પણ વાંચો : બનાસકાંઠા : રખડતા ઢોરોથી બચવા લોક જાગૃતિ લાવવી પડશે : DSP

Back to top button