ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: ગુજરાતી ફિલ્મ અભિનેતા મલ્હાર ઠાકરે મા અંબાને શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા

Text To Speech

પાલનપુર: અરવલ્લીની ગિરિમાળાઓમાં બિરાજમાન મા જગતજનની અંબાનું શક્તિપીઠ આવેલું છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી દેશ વિદેશમાં રહેતા કરોડો લોકોના આસ્થાનું કેન્દ્ર છે. ત્યારે દેશભરના માઇભક્તો મા અંબાના ચરણોમાં આવી શીશ નમાવી માતાજીનો આશીર્વાદ મેળવતા હોય છે. તો માતાજીના ધામે કોઈપણ નેતા કે અભિનેતા પણ જગતજનની અંબાનો આશિષ મેળવવા અંબાજી આવતા હોય છે.

ત્યારે હાલમાં ગુજરાતી ફિલ્મના એક્ટર મલ્હાર ઠાકર અંબાજી ખાતે પહોંચ્યા હતા. મા જગતજનની અંબાના ચરણોમાં શીશ નમાવી માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા. ત્યારબાદ ગુજરાતી એક્ટર મલ્હાર ઠાકરે મંદિરની ગાદી પર જઈ ભટ્ટજી મહારાજ પાસે રક્ષાકવચ બંધાવી મંદિરના મુખ્ય પૂજારી ભટ્ટજી મહારાજ જોડે આશીર્વાદ મેળવ્યા હતા. ગુજરાતી ફિલ્મ એક્ટર મલ્હાર ઠાકરે ગુજરાતી ફિલ્મોમાં અનેકો પાત્ર નિભાવ્યા છે. છેલ્લો દિવસ મુવીથી તેઓ ઘર ઘરમાં જાણીતા થયા હતા.

આ પણ વાંચો :બનાસકાંઠા: જુનાડીસા નજીક ડીવાઈડર ઉપર ઇકો ગાડી ચઢી જતાં અક્સ્માત

Back to top button