ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: ડોક્ટર બન્યા દેવદૂત : અધૂરા માસે જન્મેલા સાત માસનું બાળક સ્વસ્થ થતા વીસ દિવસે રજા અપાઈ

Text To Speech

પાલનપુર: કહેવાય છે કે, ડોકટરો ભગવાનનું બીજુ રૂપ હોય છે. ડોકટરોએ પોતાની સુજ બુજથી ઘણા લોકોને નવું જીવનદાન આપતા હોય છે ત્યારે જીવનદાનનો એક આવો જ કિસ્સો બનાસકાંઠા જિલ્લામાં આવેલ વડગામ તાલુકાના વતની નયનાબેન સુરેશભાઈ માજીરાણા જેઓને ગત તારીખ 4 માર્ચ-2023ના રોજ પ્રસુતિની પીડા ઉપડતા 108  મારફતે પાલનપુર ખાતે આવેલ ગલબાભાઈ નાનજીભાઈ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે આવેલ પી.એન.સી, વોર્ડમાં દાખલ રખાયા હતા.

જેમાં તબીબો દ્વારા જરૂરી પ્રાથમિક સારવારના અંતે નોર્મલ ડીલેવરીમાં નયનાબેનએ બાબાને જન્મ આપ્યો હતો. જેમાં બાળકની ગંભીર સ્થિતિ જોતા બાળકને એન.આઈ.સી.યુ.વોર્ડમાં દાખલ કર્યા બાદ અધૂરા માસે જન્મ સમયે બાળકનું વજન માત્રને માત્ર 1.4 કિ.લો. ગ્રામ હતું. અધૂરા માસે જન્મ થયો હોવાથી બાળકના ફેફસાનો વિકાસ ઓછો હતો. જેથી બાળકને શ્વાસ લેવામાં તકલીફ હતી, બાળકના લોહીમાં ચેપ લાગ્યો હોવાથી ચૌદ દિવસ સુધી જરૂરી ઇન્જેકશનો ચાલુ કરવામાં આવ્યા હતા.

જે બાદ બાળકને પાંચ દિવસ સુધી કાચની પેટમાં દાખલ કરી ઓક્સીજન આપવામાં આવ્યો હતો. ધીમેધીમે બાળકની તબિયત સુધારા ઉપર આવતા બાળકને નળી વડે દૂધ આપવામાં આવ્યું હતું અને બાળકને કાંગારું મધર કેર દ્વારા બાળકને માતાની હુફ મળતી રહી જેમાં સિવિલ જનરલ હોસ્પિટલ પાલનપુરના સુપ્રિટેન્ડેન્ટ ડો. સુનિલભાઈ જોષીના માર્ગદર્શન હેઠળ ગાયનેક વિભાગના ડોક્ટર અજીત શ્રીવાસ્તવ, ડૉ. નેહા શર્મા, ડૉ. આશા પટેલ, ડૉ.ધારા ચૌધરી તેમજ નર્સિગ સ્ટાફ દ્વારા ખડેપગે રહી સેવા આપી હતી. પરિવારના સભ્યની જેમ ડોક્ટરોની ટીમ દ્વારા બાળકની સારી સારવાર કરીને તેને ઘરે મોકલવામાં આવ્યા હતા. માતા પિતા આજે પોતાની દિકરાને સ્વસ્થ જોઈને ખુબ જ ખુશ છે. આમ, ડોકટરોએ બાળકને નવું જીવન આપીને માતા-પિતાના મોઢા પર સ્મિત પાછું રેલાવ્યું હતું.

આ પણ વાંચો :બનાસકાંઠા: ડીસામાં જાહેરમાં તીક્ષણ હથિયાર લઈ ફરતો શખ્સ ઝડપાયો

Back to top button