ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: ડીસા થી બહુચરાજી 45માં પગપાળા સંઘ સુખરૂપ સંપન્ન

Text To Speech

પાલનપુર: ડીસા થી બહુચરાજી 45માં પગપાળા સંઘ અષાઢ સુદ -15 પૂનમ ને તા.03 જુલાઇ 2023 ને સોમવારે વહેલી સવારે પહોંચીને નગરની પરિક્રમા કરી માતાજી ને ધજા ચઢાવી ધન્યતા અનુભવી હતી.

પગપાળા સંઘ-humdekhengenews

શ્રી નારસુંગા વીરદાદા ભક્ત સમુદાય રીસાલા ગુપ્રનું શ્રી મોઢેશ્વરી બચત અને ધિરાણ સહકારી મંડળી લિ ડીસા તરફથી આ પગપાળા સંઘમાં ચાલતા પદયાત્રીઓ માટે સુંદર આયોજન કરવા બદલ શ્રી નારસુંગા વીરદાદા ભક્ત સમુદાય રીસાલા ગ્રુપના સભ્યોનું સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શ્રી મોઢેશ્વરી બચત અને ધિરાણ સહકારી મંડળી લિ ડીસા ચેરમેન વિનોદભાઈ પંચીવાલા, વાઇસ ચેરમેન લાલચંદભાઈ હેરૂવાલા, એમ.ડી. ઈશ્વરલાલ કાનુડાવાલા,લોન કમિટી અધ્યક્ષ જયેશભાઈ કાનુડાવાલા, દેવચંદભાઈ હેરૂવાલા, લક્ષ્મીચંદભાઈ મહેસુરીયા, શેલૈષભાઈ મહેસુરીયા, બ્રિજેશભાઈ ભરતીયા, તેમજ કારોબારીના અન્ય સભ્યોએ હાજર રહી શાલ, સન્માનપત્ર, શ્રીફળ, આપી સ્વાગત કરવામાં આવ્યું હતુ.

આ પણ વાંચો :શહનાઝ સાથે ‘Yaar Ka Sataya Hua hai’ રીલિઝના બે ખરાબ સમાચાર બાદ નવાઝુદ્દીનનું દિલ તૂટી ગયું

Back to top button