ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: આણંદમાં થયેલ હત્યા મામલે ડીસા મહેશ્વરી સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવ્યું

Text To Speech

પાલનપુર: આણંદ જિલ્લાના તારાપુર ગામે ‌ મહેશ્વરી સમાજના આગેવાનની હત્યા થતાં મહેશ્વરી સમાજમાં ભારે આંકોશ છવાયો છે અને અત્યારે આવોને તાત્કાલિક પકડી કડક સજા કરાવવા ડીસામાં મહેશ્વરી સમાજ દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

મહેશ્વરી સમાજ-humdekhengenews

આણંદ જિલ્લાના તારાપુર ખાતે રહેતા મહેશ્વરી સમાજના આગેવાન પોપટલાલ તાંજોમલ સારદાની અજાણ્યા ઈસમો દ્વારા કરપીણ હત્યા કરવામાં આવતા સમગ્ર ગુજરાત ભરમાં મહેશ્વરી સમાજમાં આક્રોશ સાથે આઘાતની લાગણી છવાઈ છે. જે અંગે મહેશ્વરી સમાજે હત્યારાઓને તત્કાલ પકડવાની માંગ કરી છે. જેમાં ડીસા શહેરમાં મહેશ્વરી સમાજના આગેવાનો હોદેદારો સહિત મોટીસંખ્યામાં ‌મહીલાઓ અને યુવાનો ઉપસ્થિત રહીને નાયબ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.હત્યારાને ઝડપી ફાંસીની સજાની અપાવા મહેશ્વરી સમાજ દ્વારા નાયબ કલેકટર સમક્ષ રજુઆત કરી માંગ કરવામાં આવી હતી.

આ પણ વાંચો :મુસ્લિમ વિદ્યાર્થીનીઓએ ઓપરેશન થિયેટરમાં હિજાબ પહેરવાની કરી માંગ, કોલેજે કહ્યું- આ શક્ય નથી

Back to top button