ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : અંબાજી ઉત્તર રેન્જ ફોરેસ્ટ વિભાગ દ્વારા સાઇકલ યાત્રા, લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગરૂતતા લાવવાનો પ્રયાસ

Text To Speech

પાલનપુર : દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશ અને દુનિયાને મિશન લાઈફનો સંદેશ આપવામાં આવ્યો છે. જેમાં પર્યાવરણ અને પ્રકૃતિને સાચવવા સહિત લોકોને પર્યાવરણ પ્રતિ જાગૃતતા લાવવા માટે મિશન લાઈફ અંતર્ગત મિશન હાથ ધરાયું છે. વિશ્વ કલ્યાણ માટે મિશન લાઈફને લઈ પર્યાવરણ બચાવો, વૃક્ષ વાવો, પ્રદૂષણ રહિત અને પ્લાસ્ટિક મુક્ત ભારત જેવા અનેકો મુદ્દાઓને લઈ ભારત ભરમાં મિશન હાથ ધરાયું છે. ત્યારે અંબાજી ઉત્તર રેન્જ ફોરેસ્ટ વિભાગ દ્વારા સાઇકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.


યાત્રાધામ અંબાજી ખાતે આવેલી ઉત્તર રેન્જ ફોરેસ્ટ વિભાગ દ્વારા મિશન લાઈફ અંતર્ગત સાઇકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લોકોને મિશન લાઈફને લઈ જાગરૂતતા રેલીનું આયોજન કરાયું હતું. લોકોમાં પર્યાવરણ બચાવો, વૃક્ષ વાવો, પ્રદૂષણ રહિત અને પ્લાસ્ટિક મુક્ત ભારત માટે મિશન લાઈફ અંતર્ગત સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાયકલ યાત્રામાં 40થી વધુ સાયકલીસ્ટ જોડાયા હતા. તો સાથે સાથે ફોરેસ્ટ વિભાગના અધિકારી અને કર્મચારી પણ આ રેલીમાં જોડાઈ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મિશન લાઈફનો સંદેશો લોકોને આપ્યો હતો.

મિશન લાઈફ લાઈફ સ્ટાઇલ ફોર ઇનવોલમેન્ટ સાઇકલ રેલી દાંતા રોડ પર આવેલા સિંહદ્વારથી શરૂ કરવામાં આવી હતી. આ સાઇકલ રેલી અંબાજીના વિવિધ માર્ગોથી પસાર થઈ હતી અને લોકોને મિશન લાઈફનો સંદેશો આપ્યો હતો. અંબાજીના તમામ માર્ગો પર પસાર થઈને આ સાયકલ યાત્રા અંબાજીમાં આવેલી ઉત્તર રેન્જ ફોરેસ્ટ વિભાગ પર પહોંચી પરિપૂર્ણ થઈ હતી.

આ પણ વાંચો : થરાદમાં પોલીસની ચેકિંગ ઝુંબેશ, 53 વાહનચાલકો પાસેથી 28 હજારના દંડની કરાઈ વસૂલાત

Back to top button