ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : ડીસામાં શાસ્ત્રીજી મહારાજની 11મી પુણ્યતિથિની ઉજવણી

Text To Speech

બનાસકાંઠા 8 જૂન 2024 : ડીસામાં શ્રદ્ધેય શ્રી શાસ્ત્રીજી મહારાજ ની ગૌશાળા ખાતે ૧૧મી પુણ્યતિથિ નિમિત્તે હવન તેમજ ભોજન પ્રસાદનું આયોજન કરાયું હતું.ડીસા ખાતે આવેલા શાસ્ત્રીજી મહારાજની ગૌશાળા ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ શાસ્ત્રીજી મહારાજની 11 મી પુણ્યતિથિ નિમિત્તે વહેલી સવારે હવનનું આયોજન કરાયું હતું. ત્યારબાદ ભોજન પ્રસાદીનું પણ આયોજન કરાયું હતું.

મહારાજની પુણ્યતિથિ નિમિત્તે સાંજે ભજન સત્સંગનું આયોજન કરાયું છે. ડીસા શહેરની ધર્મપ્રેમી જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ હવન અને ભોજન અને ભજન સત્સંગનો લાભ લીધો હતો. આ સમગ્ર કાર્યક્રમના આયોજનમાં ડીસાના વેપારી અગ્રણી શશીકાંતભાઈ ઠક્કર, કમલેશભાઈ ઠક્કર, અજયભાઈ માળી, ભગવાનભાઈ બંધુ, કલ્પેશભાઈ ચોક્સી, રાજુભાઈ ત્રિવેદી, પરેશભાઈ,સહિત સેવભાવી ભક્તો તેમજ નગર ના આગેવાનો, ભાઈઓ ,બહેનો વડીલો, તેમજ બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો : બનાસકાંઠા : ડીસા માં હોટલો, નાસ્તા ગૃહો, પાર્લરો સહિત 300 થી વધુ સ્થળોએ તપાસ

Back to top button