ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: વિપક્ષના 146 સાંસદોના સસ્પેન્ડને લઈને ડીસામાં “આપ” ના કાર્યકરોનો વિરોધ

Text To Speech
  • નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

પાલનપુર 24, ડિસેમ્બર 2023 :  લોકસભામાં 13 ડિસેમ્બરના રોજ પ્રેક્ષક ગેલરીમાંથી બે લોકોની ઘૂસણખોરી સામે વિરોધ દર્શાવતા વિપક્ષના 146 સાંસદ સભ્યોને સસ્પેન્ડેડ કરવામાં આવ્યા હતા. જેમાં સભ્યોને સસ્પેન્ડ કરવા મામલે ડીસામાં પણ આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરો નાયબ કલેક્ટર કચેરીએ પહોંચી આવેદનપત્ર આપ્યું હતું. વિરોધ દર્શાવવા કે રજૂઆત કરવા જતાં સાંસદ સભ્યોને સસ્પેન્ડ કરવાની ઘટનાને વખોડી હતી. સસ્પેન્ડ કરેલા સભ્યોને પરત બોલાવવામાં આવે તેવી રાષ્ટ્રપતિને સંબોધીને રજૂઆત કરી હતી.

આ અંગે આમ આદમી પાર્ટીના આગેવાન વિજયભાઇ દવેએ જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં ભારતીય લોકશાહીનું વારંવાર અપમાન થઈ રહ્યું છે, ખૂન થઈ રહ્યું છે, લોકશાહીમાં લોકોની રજૂઆતને અને સમસ્યાઓને સાંસદ સભ્યો લોકસભામાં કે રાજ્યસભામાં રજૂ કરતા હોય છે. ત્યારે સત્તાધારી પક્ષ સત્તાનો દુરુપયોગ કરી આવા સાંસદોને સસ્પેન્ડ કરે તે ઘટના લોકશાહીનું હનન કરનારી છે. ત્યારે સસ્પેન્ડ કરેલા સાંસદ સભ્યોને તાત્કાલિક પરત બોલાવવામાં આવે અને ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને તે માટે રાષ્ટ્રપતિને વિનંતી કરીએ છીએ.

આ પણ વાંચો : કોંગ્રેસ MLA ગેનીબેને કહ્યું,સરકારે બુટલેગરો માટે વ્યવસ્થા કરી, આખા રાજ્યમાં છૂટ આપોઃ શંકરસિંહ વાઘેલા

Back to top button