ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : 5 મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ડીસા ખાતે પગપાળા રેલી યોજાઇ

Text To Speech

પાલનપુર: પાંચમી જૂન 2023 ,વિશ્વ પર્યાવરણ દિન ‘નિમિત્તે ભારત વિકાસ પરિષદ, મહાવિજય શાખા ડીસા દ્વારા પર્યાવરણ જનજાગૃતિ અંતર્ગત પગપાળા રેલી યોજાઇ હતી. જેમાં સરદારબાગ થી ભારત વિકાસ પરિષદ ડીસા મહાવિજય શાખાના પ્રમુખશ્રી સુરેશભાઈ ઠક્કર, મંત્રી નિલેશભાઈ સોની,ડૉ. જગદીશભાઈ ઠક્કર . અમૃતલાલ પઢીયાર, આનંદભાઈ ઠક્કર રમેશભાઈ શાહ, નટુભાઈહેરુવાલા, પ્રકાશભાઈ ઠક્કર, ઈશ્વરભાઈ જોશી અને મહાવિજય શાખાની મહિલાઓ બહોળી સંખ્યામાં જોડાઈ પ્રસ્થાન કરી, શહેરના માર્ગો પર સૂત્રોચ્ચાર કરતા કરતા જનજાગૃતિનો વિશેષ પ્રયાસ કરવામાં આવ્યો હતો. ફુવારા સર્કલ આગળ પ્રવીણભાઈ સાધુ દ્વારા પર્યાવરણ બચાવવા અને કોઇપણ જાતનું પ્રદુષણ ના ફેલાવવા ની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી રેલી શહેરમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી.

આ પણ વાંચો :મને પત્ની જઈએ છે! આ રાજ્યના યુવકે લખ્યો પત્ર

Back to top button