કુસ્તીબાજોના સમર્થનમાં આવ્યા સ્વામી રામદેવ, કહ્યું- બ્રિજ ભૂષણ પર ગંભીર આરોપ, તાત્કાલિક ધરપકડ થવી જોઈએ


HD ન્યુઝ ડેસ્કઃ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહ, જેઓ જાતીય સતામણીના આરોપોનો સામનો કરી રહ્યા છે, તેઓ હવે પોતાના ‘ઘર’માંથી પડકારોનો સામનો કરી રહ્યા છે. યોગ ગુરુ બાબા રામદેવે બીજેપી સાંસદ વિરુદ્ધ દિલ્હીના જંતર-મંતર પર ચાલી રહેલા કુસ્તીબાજોના વિરોધને સમર્થન આપ્યું છે.
બાબા રામદેવે કહ્યું કે કુસ્તી સંઘના પ્રમુખ પર યૌન ઉત્પીડનના ગંભીર આરોપો છે. તેની તાત્કાલિક ધરપકડ થવી જોઈએ. તેમણે કહ્યું કે દેશના કુસ્તીબાજો માટે જંતર-મંતર પર બેસીને રેસલિંગ એસોસિએશનના પ્રમુખ પર જાતીય સતામણીનો આરોપ લગાવવો ખૂબ જ શરમજનક છે. આવા લોકોની તાત્કાલિક ધરપકડ કરીને જેલના સળિયા પાછળ મોકલી દેવા જોઈએ. બાબા રામદેવે માત્ર બ્રિજભૂષણની ધરપકડની માગણી જ નથી કરી , પરંતુ તેમના નિવેદનો માટે ભાજપના સાંસદ પર પણ નિશાન સાધ્યું હતું. તેણે કહ્યું કે તે દરરોજ મોં ઉંચુ કરીને વારંવાર મા-બહેન-દીકરીઓ માટે બકવાસની વાતો કરે છે, આ ખૂબ જ નિંદનીય દુષ્કર્મ અને પાપ છે.
બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ મહિલા રેસલર્સના યૌન ઉત્પીડનના આરોપોને સતત નકારી રહ્યા છે. આ દરમિયાન તેણે કુસ્તીબાજોના આંદોલન પર ગંભીર આરોપ લગાવ્યા હતા. બ્રિજ ભૂષણે કહ્યું કે આ આંદોલન દિલ્હીથી પંજાબ અને ખાલિસ્તાન અને કેનેડા તરફ આગળ વધી રહ્યું છે. આ આંદોલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી વિરુદ્ધ નારા લગાવવામાં આવી રહ્યા છે .
આ પણ વાંચોઃ બ્રિજભૂષણ શરણ સિંહના સાથીદારો પર પણ કાર્યવાહી, IOAએ WFIનું કામ કરતા અટકાવ્યું