ગુજરાતમધ્ય ગુજરાત

બાબા બાગેશ્વરની અમદાવાદમાં એન્ટ્રી, મોટી સંખ્યામાં લોકોએ કર્યું સ્વાગત

Text To Speech

બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી આજથી ગુજરાતના પ્રવાસે છે. આજે તેઓ અમદાવાદ પહોંચ્યા હતા. અમદાવાદના વટવા વિસ્તારમાં થઈ રહેલી શિવકથામાં બાબાએ હાજરી આપી. બાબા બાગેશ્વરના આગમનને અમદાવાદ એરપોર્ટ પર મોટી સંખ્યામાં સંતો અને સમર્થકો બાબાને આવકારવા પહોંચ્યા હતા. એરપોર્ટથી બહાર નીકળીનએ અમરાઈવાડી જઈ રહેતા ધીરેન્દ્ર શાસ્ત્રી કારમાં સવાર હતા ત્યારે લોકોએ તેમને ફૂલનો હાર પહેરાવવા પડાપડી કરી હતી. તેમજ મેમેન્ટો અને બુકે પણ લોકો આપતા નજરે પડ્યા હતા.

બાગેશ્વર બાબા -humdekhengenews

આ પણ વાંચો : બનાસકાંઠા : ડીસામાં બે ગઠિયા વેપારીને છેતરીને દુકાનમાંથી ચોરી કરી ફરાર

અસહ્ય ગરમી હોવા છતાં પણ બાગેશ્વરબાબાના અનુયાયીઓ ઊમટી પડ્યા હતા. ત્યાર પછી વટવા ખાતે ઠાકુર દેવકીનંદનના નિવાસસ્થાને પહોંચ્યા હતા. ઠાકુર દેવકીનંદન સાથે બપોરે ભોજન બાદ તેઓ ત્રણ વાગ્યે કથામાં હાજરી આપશે. આજથી ગુજરાતના પાંચ શહેરોમાં તેમનો દિવ્ય દરબાર યોજાવાનો છે. તેઓ અમદાવાદ આવીને દેવકીનંદનની શીવપુરાણ કથામાં ભાગ લેવાના છે. અમરાઈવાડી ખાતે રહેતા એક ભક્તના ઘરે ભોજન લેશે. જ્યાં તેમને જોવા અને મળવા માટે લોકોની ભીડ ઉમટી પડી હતી. ધીરેન્દ્ર શાસ્ત્રીએ કારમાંથી બહાર નીકળીને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.

અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં આવેલા શક્તિચોક ખાતે 29 અને 30 મે એમ બે દિવસ દિવ્ય દરબારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્થળ પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ કામગીરી કરવામાં આવી રહી છે જે મેદાન છે, ત્યાં કેટલીક જગ્યાએ રોડ-રસ્તા સરખા કરવાની જરૂરિયાત છે. એના પર પેચ વર્કની કામગીરી કરવામાં આવી હતી. કાર્યક્રમ સ્થળ પર સાફસફાઈ તેમજ વિસ્તારમાં લાઈટો અને રોડ યોગ્ય રીતે બનાવવાની કામગીરી હાલ ચાલી રહી છે.

આ પણ વાંચો : 5 ભાષામાં રિલીઝ થશે આદિપુરુષનું ‘રામ સિયા રામ’ ગીત

Back to top button