અયોધ્યા: રામ જન્મભૂમિના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસનું 87 વર્ષની ઉંમરે નિધન
![Text To Speech Text To Speech](https://www.humdekhenge.in/wp-content/themes/jannah/assets/images/play.png)
![](https://www.humdekhenge.in/wp-content/uploads/2025/02/viral-video-11-1.jpg)
અયોધ્યા, 12 ફેબ્રુઆરી 2025: અયોધ્યા રામ જન્મભૂમિના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસજીનું લખનઉની SGPGI હોસ્પિટલમાં આજે નિધન થઈ ગયું છે. સવારે 8 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા છે. થોડા દિવસ પહેલા જ તેમની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ હતી. જે બાદ તેમને લખનઉની SGPGIમાં દાખલ કર્યા હતા. ડોક્ટર્સના જણાવ્યા અનુસાર, તેમને સ્ટ્રોકનો એટેક આવ્યો હતો. જે બાદ તેમની હાલત અતિ ગંભીર થઈ ગઈ હતી.
4 ફેબ્રુઆરીના રોજ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એસજીપીજીઆઈ પહોંચીને આચાર્ય સત્યેન્દ્ર દાસના કુશળક્ષેમ જાણ્યા હતા. શ્રીરામ જન્મભૂમિ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસને 2 ફેબ્રુઆરીના રોજ સ્ટ્રોકના કારણે અયોધ્યાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જ્યાંથી ડોક્ટર્સે તેમને એસજીપીજીઆઈમાં રેફર કર્યા હતા. એસજીપીજીઆઈ હોસ્પિટલ પ્રશાસન અનુસાર, આચાર્ય સત્યેન્દ્ર દાસ ડાયાબિટીઝ અને હાઈ બ્લડ પ્રેશર જેવી ગંભીર બીમારીઓથી ગ્રસ્ત હતાં.
આચાર્ય સત્યેન્દ્ર દાસ રામ જન્મભૂમિના મુખ્ય પૂજારી હતી. તેઓ નાનપણથી જ અયોધ્યામાં રહેતા હતા. દાસ લગભગ 33 વર્ષથી રામલલા મંદિર સાથે જોડાયેલા હતા. તેઓ 1992માં બાબરી વિધ્વંસ પહેલાથી મંદિરમાં પૂજા અર્ચના કરતા આવ્યા છે. તેઓ રામમંદિરના મુખ્ય પૂજારી હતા.
રામ મંદિરના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસ 1992માં બાબરી વિધ્વંસના લગભગ નવ મહિના પહેલાથી પૂજારી તરીકે રામલલાની પૂજા કરતા આવ્યા હતા. આચાર્ય સત્યેન્દ્ર દાસ 1975માં સંસ્કૃતિ વિદ્યાલયમાંથી આચાર્યની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. ત્યાર બાદ 1976માં તેમણે અયોધ્યા સંસ્કૃત મહાવિદ્યાલયમાં વ્યાકરણ વિભાગમાં સહાયક અધ્યાપકની નોકરી મળી ગઈ.
વિવાદિત ઢાંચાના વિધ્વંસ બાદ 5 માર્ચ, 1992ના તત્કાલિન રિસીવરે તેમની પૂજારી તરીકે નિયુક્તિ કરી. શરુઆતમાં તેમને ફક્ત 100 રુપિયા માસિક વેતન મળતું. પણ છેલ્લા કેટલાક વર્ષોથી વધારો થયો. 2023માં ફક્ત 12 હજાર માસિક વેતન મળતું. પણ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ તેમના વેતનમાં 38500 રુપિયા થઈ ગયું હતું.
આ પણ વાંચો: દેશનું હવામાન: આ સાત રાજ્યોમાં વરસાદ ખાબકશે, શું ફરી એક વાર ઠંડીનો રાઉન્ડ આવશે?