ગુજરાતટોપ ન્યૂઝ

જૂનાગઢ રોપ-વેની આકર્ષક ઓફર, ગુજરાત ટાઇટન જીતશે તો ટિકિટ બતાવનારને ફ્રીમાં બેસવા દેવાશે

Text To Speech

જૂનાગઢઃ ઉષા બ્રેકો સંચાલિત ગિરનાર રોપ-વે વધુ એકવાર અનોખી યોજના લઈને આવ્યું છે. આ વખતે IPLની ફાઇનલ મેચમાં જો ગુજરાત જીતશે તો જેની પાસે ટિકિટ હશે તેમને ફ્રીમાં મુસાફરી કરવા દેવામાં આવશે. આ યોજના આગામી 30મી તારીખથી લાગુ થશે અને એક મહિના સુધી ચાલશે. સ્ટેડિયમમાં બેસી મેચ જોનાર વ્યક્તિ મેચની ટિકીટ બતાવશે તો રોપ-વેમાં ફ્રી સવારી માણી શકશે.

આ અંગે ઉષા બ્રેકો કંપનીના આસિસ્ટન્ટ વાઇસ પ્રેસીડેન્ટ દિપક કપલીસે જણાવ્યું હતું કે, ‘આઇપીએલની ફાઇનલ મેચ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાઇ રહી છે. ગુજરાત ટાઇટન્સની ટીમ પ્રથમ સિઝનમાં ફાઇનલમાં પહોંચી છે. ત્યારે રોપ-વે દ્વારા ક્રિકેટની મેચને લઇને એક ઓફર બહાર પાડવામાં આવી છે. આ યોજના મુજબ જો ગુજરાત ટાઇટન્સ આઇપીએલ ટાઇટલ જીતે તો જે કોઇ પણ સ્ટેડિયમમાં માન્ય ટિકીટ સાથે બેસી આઇપીએલ જોવા ગયા હશે તે ટિકીટ બતાવશે તો તેમને ગિરનાર રોપ-વે દ્વારા ફ્રિમાં રોપ-વેની સફર કરવાશે.

આ યોજના 30મી મે 2022થી શરૂ કરવામાં આવશે. જે આગામી 1 મહિના માટે લાગુ પડશે. એટલે કે સ્ટેડિયમની ટિકિટધારક 1 મહિનાની અંદર આ ટિકીટ બતાવી ફ્રિમાં રોપ-વેની સફર માણી શકશે. આમ, ભારતના સૌથી લાંબા ગિરનાર રોપ-વેમાં ફ્રિમાં બેસવાની તક ક્રિકેટ રસિકોને મળશે.

Back to top button