વિજાપુરના આગલોડ ગામે વરઘોડા પર હુમલો; અસામાજિક તત્વોએ વરરાજાને ઘોડા પરથી ઊતાર્યો
![Text To Speech Text To Speech](https://humdekhenge.in/wp-content/themes/jannah/assets/images/play.png)
![](https://humdekhenge.in/wp-content/uploads/2022/05/jagdo-1.jpg)
મહેસાણાઃ વિજાપુર તાલુકાના આગલોડ ગામે રાવળ સમાજના યુવકના લગ્ન હોવાથી પરિવાર પોતાના દીકરાનો વરઘોડો કાઢયો હતો. જે મામલે ગામના અન્ય સમાજના કેટલાક અસામાજિક તત્વોએ વરઘોડો નહીં કાઢવાનો એમ કહી હુમલો કર્યો હતો. હુમલામાં કેટલાક લોકોએ ઇજાઓ પહોંચી હતી. આ મામલે પરિવાર આજે મહેસાણા જિલ્લા એસપીને યોગ્ય કાર્યવાહી કરવા માટે રજુઆત કરી હતી.
વિજાપુર તાલુકાના આગલોડ ગામમાં રહેતા રાવળ કિશન ભાઈ ભીખાભાઇના લગ્નપ્રસંગ દરમિયાન પરિવાર પોતાના દીકરાનો વરઘોડો નીકળ્યો હતો. તે દરમિયાન ગામના દિગ્વિજય અમરતજી ઠાકોર નામના દ્વારા રાવળ કિશનને ઘોડી પડથી નીચે ઉતારી સમાજ વિરુદ્ધ અપશબ્દો બોલી લોખંડના કહોડાથી હુમલા કર્યો હતો.
આ મામલે ગામના અસામાજિક તત્વોએ રાવળ સમાજના કેટલાક લોકો પર ધોકા-ધારીયા જેવા ઘાતક હથિયારો વડે હુમલો કરી વરરાજા અને તેના પરિવારને ઇજા પહોંચાડી હતી. આ મામલે ભોગ બનનાર પરિવારે સ્થાનિક પોલીસને જાણ કરતા સ્થનિક પોલીસે કોઈ કાર્યવાહી ન કરતા આજ રોજ ભોગ બનનાર પરિવાર અને રાવળ સમાજના લોકો ભેગા મળી આરોપીઓ સામે યોગ્ય કાર્યવાહી કરવા બાબતે મહેસાણા જિલ્લા પોલીસ વડા અચલ ત્યાગીને રજૂઆત કરી હતી.
આ મામલે મહેસાણા જિલ્લા પોલીસ વડા અચલ ત્યાગીએ જણાવ્યું કે, ભોગ બનાનર રજુઆત માટે આવ્યા હતા અને આ મામલે સ્થાનિક પોલીસને ફરિયાદ નોંધવા જાણ કરવામાં આવી છે. અગાઉ પણ આ મામલે અરજી આધારે અટકાયતી પગલાં લેવામાં આવી ચુક્યા છે અને આ મામલે ગુનાહિત કૃત્ય કરનાર સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.