દિલ્હી પોસ્ટર વિવાદ પર પહેલીવાર બોલ્યા અરવિંદ કેજરીવાલ, કહ્યું- ‘મોદીજી કેમ ડરે છે…’


દેશની રાજધાનીમાં છેલ્લા બે દિવસથી ચાલી રહેલા પોસ્ટર વિવાદ પર મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પહેલીવાર વાત કરી છે. તેમણે પોતાના નિવેદનમાં કહ્યું કે મોદીજી બે-ચાર પોસ્ટરથી કેમ ડરે છે? ગઈ કાલે છાપાવાળાને પકડ્યો. તેઓ દેશના વડાપ્રધાન છે. આવું કરવું એમને શોભતું નથી. કોઈ મારી વિરુદ્ધ પોસ્ટર લગાવે તો ભલે લગાવે. આ લોકશાહી છે.
दिल्ली में मेरे ख़िलाफ़ इन लोगों ने पोस्टर लगाए हैं। मुझे इस पर कोई आपत्ति नहीं है। जनतंत्र में जनता को अपने नेता के पक्ष या ख़िलाफ़ अपने विचार रखने का पूरा अधिकार है। मेरे ख़िलाफ़ पोस्टर लगाने वालों को गिरफ़्तार ना किया जाये।
— Arvind Kejriwal (@ArvindKejriwal) March 23, 2023
બીજી તરફ, આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં પીએમ મોદી વિરુદ્ધ પોસ્ટિંગ અને તેના પર દિલ્હી પોલીસની કાર્યવાહી સામે સખત વાંધો ઉઠાવ્યો છે. પાર્ટીના નેતાઓ અને કાર્યકરો ગુરુવારે દિલ્હીના જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરશે. આ વિરોધમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ જોડાઈ શકે છે. આટલું જ નહીં પંજાબના સીએમ ભગવંત માન પણ વિરોધ પ્રદર્શનમાં સામેલ થવાની સંભાવના છે. વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ દિલ્હી સરકારના મંત્રી ગોપાલ રાય કરશે.
"Modi Hatao, Desh Bachao"- posters in Delhi .#ModiHataoDeshBachao pic.twitter.com/6ZXQyg2bKl
— Susanta Tripathy/ସୁଶାନ୍ତ ତ୍ରିପାଠୀ (@susantaINC) March 22, 2023
તમને જણાવી દઈએ કે દિલ્હી પોલીસે PM નરેન્દ્ર મોદી વિરુદ્ધ પોસ્ટર લગાવવા બદલ 6 લોકોની ધરપકડ કરી હતી. દિલ્હી પોલીસે પણ આ મામલે લગભગ 100 FIR નોંધી છે. હાલ દિલ્હી પોલીસની તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચોઃ દિલ્હીમાં PM મોદી વિરુદ્ધ ‘પોસ્ટર વોર’, 100 લોકો વિરુદ્ધ FIR, 6 ધરપકડ
AAP સામે BJPનો પલટવાર
દિલ્હી પોસ્ટર વિવાદમાં આમ આદમી પાર્ટીની સંડોવણી સામે આવ્યા બાદ ભાજપ નેતાઓએ પણ વળતો પ્રહાર કર્યો છે. દિલ્હી ભાજપના પ્રવક્તા પ્રવીણ શંકર કપૂરે કહ્યું કે પીએમ મોદી વિરુદ્ધ પોસ્ટર લગાવવામાં કોઈ નુકસાન નથી. આ મામલે તમે ખુલ્લેઆમ આગળ આવ્યા છો. તેણે આગળ આવવાની હિંમત બતાવવી જોઈએ. ભાજપ ધારાસભ્ય મનજિંદર સિરસાએ દિલ્હીમાં સીએમ કેજરીવાલ હટાઓના નારા સાથે પોસ્ટર લગાવ્યા હતા.