ગુજરાતટોપ ન્યૂઝ

અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં ગુજરાતના સફાઈકર્મી સાથે કર્યું ભોજન, મહેમાનગતી જોઈ પરિવાર દંગ રહી ગયો

Text To Speech

ગુજરાતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી મેદાનમાં ઉતરી ગઈ છે. આ ચૂંટણીમાં આપ લડી લેવાના મૂડમાં લાગી રહી છે. અરવિંદ કેજરીવાલ દર અઠવાડિયે ગુજરાત મુલાકાતે આવે છે અને વચનોની લ્હાણી કરે છે. ગુજરાતના લોકોને આકર્ષવા માટે તે તમામ પ્રકાર હથકંડા વાપરી રહ્યા છે. ત્યારે હવે અરવિંદ કેજરીવાલે ગુજરાતના સફાઈકર્મીના પરિવાર સાથે ભોજલ લીધું હતું.

મળતી માહિતી મુજબ અરવિંદ કેજરીવાલના આમંત્રણ પર ગાંધીનગરના રહેવાસી હર્ષ સોલંકી પોતાના પરિવાર સાથે દિલ્હી પહોંચ્યા હતા. દિલ્હીમાં મુખ્યમંત્રી નિવાસ સ્થાને હર્ષ સોલંકી તથા તેમના પરિવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે ભોજન લીધું હતું. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સહ પ્રભારી રાઘવ ચઢ્ઢા તથા આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા પણ ઉપસ્થિત હતા. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન તેમણે નરોડા ચિલોડા હાઈવે પર યુવાનો સાથે અને આઉટસોર્સીસ કર્મચારી સાથે કેજરીવાલે સંવાદ યોજ્યો હતો. કેજરીવાલે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું, હું વિકાસની વાતો કરુ છું ને ભાજપના લોકો મને ગાળો આપે છે.

આ પણ વાંચો : PFI પર ફરી મોટી કાર્યવાહી, 8 રાજ્યોમાં 200 સ્થળો પર દરોડા, 170 લોકો કસ્ટડીમાં

Back to top button