ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

શું તમારા બાળકો તો નથી બની રહ્યા ને હેલિકોપ્ટર પેરેન્ટિંગનો શિકાર? આજે જ ચેતી જજો

  • આજકાલ હેલિકોપ્ટર પેરેંટિંગ વાલીઓ અને બાળકોમાં ખૂબ ચર્ચામાં છે. શું તમે હેલિકોપ્ટર પેરેંટિંગ વિશે જાણો છો? શું તમારું બાળક તો હેલિકોપ્ટર પેરેન્ટિંગનો શિકાર નથી ને?

HD ન્યુઝ ડેસ્કઃ માતા-પિતા અને બાળક વચ્ચેનો સંબંધ ખૂબ જ ઊંડો હોય છે. આ સંબંધમાં પ્રેમ, ચિંતા, મસ્તી મજાક બધું જ હોય ​​છે, પરંતુ કેટલીકવાર માતાપિતા તેમના બાળકોના જીવનમાં જરૂર કરતાં વધુ દખલ કરે છે. આવું કરવાથી બાળકો પર ખરાબ અસર પડે છે. આજકાલ હેલિકોપ્ટર પેરેંટિંગ વાલીઓ અને બાળકોમાં ખૂબ ચર્ચામાં છે. શું તમે હેલિકોપ્ટર પેરેંટિંગ વિશે જાણો છો? શું તમારું બાળક તો હેલિકોપ્ટર પેરેન્ટિંગનો શિકાર નથી ને? તેના વિશે અને તેનાથી પડતી અસરો વિશે જાણો

હેલિકોપ્ટર પેરેંટિંગ શું છે?

માતાપિતા તેમના બાળકોનો સારો ઉછેર કરવા માંગે છે, જેથી તેમનું બાળક બુદ્ધિશાળી બને. આવી પરિસ્થિતિમાં કેટલાક માતાપિતા તેમના બાળકોના જીવનમાં અતિશય દખલ કરે છે. તેમની આ આદત હેલિકોપ્ટર પેરેંટિંગ હેઠળ આવે છે. જ્યારે માતા-પિતા તેમના બાળકોના જીવનમાં દખલ કરે છે અને સતત તેમની આગળ પાછળ રહે છે તો તેને હેલિકોપ્ટર પેરેંટિંગ કહેવામાં આવે છે.

એટલું જ નહીં, દરેક નાની-મોટી બાબતમાં માતા-પિતા પોતે જ પોતાના બાળકો માટે નિર્ણય લે છે અને તેમની સમસ્યાઓનું નિરાકરણ પણ જાતે જ કરી લે છે. તેનો અર્થ એ કે માતાપિતા તેમના બાળકોને બહારની દુનિયાથી બચાવવાના પ્રયાસ કરે છે. આવું કરવું હેલિકોપ્ટર પેરેંટિંગ હેઠળ આવે છે.

શું છે હેલિકોપ્ટર પેરેન્ટિંગ? શું બાળકો પર પડે છે ખરાબ અસર? hum dekhenge news

બાળકોના વિકાસ પર અસર

જો માતાપિતા તેમના બાળકોની પ્રવૃત્તિઓ પર સતત નજર રાખે અને જ્યારે તેમને કોઈ સમસ્યા આવે ત્યારે તમામ ઉકેલો પોતે જ લાવે છે. આ રીતે તેઓ તેમના બાળકોને બહારની દુનિયાથી બચાવવાનો પ્રયાસ કરે છે. જો માતા પિતા બાળકોની ભાવનાઓને સમજવામાં તકલીફ અનુભવે છે, બાળકોને જાતે નિર્ણય લેવાનો મોકો આપતા નથી તો આ બધી વસ્તુઓ હેલિકોપ્ટર પેરેન્ટિંગમાં સામેલ છે. તેનાથી બાળકના વિકાસ પર ખરાબ અસર પડી શકે છે.

હેલિકોપ્ટર પેરેંટિંગના આ છે નુકસાન

હેલિકોપ્ટર પેરેંટિંગને કારણે બાળકોમાં આત્મવિશ્વાસનો અભાવ આવી જાય છે અને તેઓ જાતે નિર્ણયો લઈ શકતા નથી. બાળક કોઈ પ્રોબલેમમાં આવે તો તેનું સમાધાન પણ શોધી શકતા નથી. આ કારણે બાળકો વધુ તણાવ અને દબાણમાં રહે છે. એટલું જ નહીં બાળકોમાં સામાજિક કૌશલ્ય પણ વિકસિત થતું નથી. આવી સ્થિતિમાં દરેક માતા-પિતાએ બાળકોને સ્વતંત્રતા આપવી જોઈએ અને તેમને તેમના નિર્ણયો લેવા દેવા જોઈએ. તેમાંથી બાળક ઘણું શીખે છે અને આત્મવિશ્વાસથી ભરપૂર બને છે.

આ પણ વાંચોઃ હેરિટેજ સફરનો આનંદ આપશે પાતાલપાણીથી કાલાકુંડની ટ્રેનની સફર

Back to top button