![Text To Speech Text To Speech](https://humdekhenge.in/wp-content/themes/jannah/assets/images/play.png)
![](https://humdekhenge.in/wp-content/uploads/2024/06/New-Project-38-1.jpg)
ગાંધીનગર, 29 જૂન 2024, ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ હવે મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતીની ટ્રાન્સફર કરી દેવામાં આવી છે. તેમની જગ્યાએ ટુરિઝમ અગ્ર સચિવ હારીત શુક્લાની નિમણૂંક કરવામાં આવી છે. હારિત શુક્લા 1999ની બેંચના આઇ.એ.એસ. અધિકારી છે. તેઓ પહેલાં ટુરિઝમ અને એવિએશનમાં પ્રિન્સિપાલ સેક્રેટરી હતા.
ક્લાઈમેટ ચેંજના અધિક સચિવ બી એચ તલાટીની પણ ટ્રાન્સફર
બીજી તરફ રાજ્યમાં ક્લાઈમેટ ચેંજના અધિક સચિવ બી એચ તલાટીની પણ ટ્રાન્સફર કરવામાં આવી છે. બી એચ તલાટીને સ્પેશ્યલ ડિરેક્ટર સ્ટેટ ઈન્સ્ટીટ્યુટ ઓફ રૂરલ ડેવલપમેન્ટમાં મુકવામાં આવ્યાં છે.
આ પણ વાંચોઃભાજપની પ્રદેશ કારોબારી પહેલા MLA પૂર્ણેશ મોદીની હાઈકમાન્ડ સાથે બેઠક, અટકળો શરૂ