સિસોદિયાનું નવું નામ ‘MONEY SHH’ !, જાણો-કોણે રાખ્યું આ નામ ?


CBIના દરોડા બાદ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને PM મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. સિસોદિયાની પ્રેસ કોન્ફરન્સ બાદ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે તેમના પર પલટવાર કર્યો છે. અનુરાગ ઠાકુરે જણાવ્યું કે, શરાબ નીતિ અંતર્ગત થયેલા ભ્રષ્ટાચાર મામલે મનીષ સિસોદિયાને ભલે આરોપી બનાવાયા હોય પરંતુ આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ છે.
#WATCH | "Manish Sisodia might have now changed the spelling of his name too. Now it is – M O N E Y SHH," says Union Minister Anurag Thakur
CBI officials raided the residence & office of Delhi Deputy CM Manish Sisodia for 14 hours in the Excise policy case, yesterday, August 20. pic.twitter.com/NNFf6xQr88
— ANI (@ANI) August 20, 2022
મનીષનું નામ હવે ‘MONEY SHH‘હશે-અનુરાગ
અનુરાગ ઠાકુરે જણાવ્યું કે, ‘અમે અરવિંદ કેજરીવાલને પડકાર આપીએ છીએ કે તેઓ 24 કલાકની અંદર મીડિયા સામે આવે અને આ મામલે જવાબ આપે. મનીષ હવે પોતાનું નામ બદલશે. તેમનું નામ મનીષના બદલે હવે ‘MONEY SHH’ હશે.’ પ્રેસ કોન્ફરન્સમાં કેન્દ્રીય મંત્રીની સાથે મનોજ તિવારી અને આદેશ ગુપ્તા પણ હાજર હતા.

સિસોદિયાએ મીડિયા સામે કૌભાંડનો સ્વીકાર કર્યો-અનુરાગ
કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, શરાબ કૌભાંડમાં સીબીઆઈના દરોડા બાદ મનીષ સિસોદિયાના હાવભાવ, ચહેરાનો રંગ બધું જ ઉડી ગયું હતું. તેઓ પત્રકારોના સવાલોના જવાબ નહોતા આપી શકતા. તેમણે પોતે કહ્યું હતું કે, શરાબ કૌભાંડની ચિંતા ન કરો. મતલબ કે તેમણે પીસી દરમિયાન કૌભાંડ થયું છે એ સ્વીકાર્યું.
Delhi Court acquits Kejriwal, Sisodia in a defamation case
Read @ANI Story | https://t.co/UDzyBwxXHw#Delhi #ArvindKejriwal #ManishSisodia pic.twitter.com/Xgui6GWuzk
— ANI Digital (@ani_digital) August 20, 2022
આ સાથે જ કેજરીવાલને એવો સવાલ કર્યો હતો કે, જો તમારી શરાબ નીતિ બરાબર જ હતી તો એને પાછી કેમ લીધી. શરાબ નીતિમાં ભ્રષ્ટાચાર દેખાયો એટલે કેજરીવાલે તે નીતિ પાછી ખેંચી લીધી.
मनीष सिसोदिया जी ये बताएं कि मैन्यूफेक्चरिंग कंपनियों को रिटेल में ठेके की अनुमति नहीं होती, तो आपने क्यों दी?
अरविंद केजरीवाल और मनीष सिसोदिया ये भी बताएं कि ब्लैक लिस्टेड कंपनियों को आपने शराब बेचने का ठेका दिया या नहीं?
आप की सरकार रेवड़ी की सरकार और ‘बेवड़ी सरकार’ है। pic.twitter.com/vv7PHh11nI
— BJP (@BJP4India) August 20, 2022
બ્લેક લિસ્ટેડ કંપનીઓને દારૂ વેચવાનો પરવાનો કેમ મળ્યો?
અનુરાગ ઠાકુરે દિલ્હીના મુખ્યમંત્રીને ઉદ્દેશીને સવાલ કર્યો હતો કે, મેન્યુફેક્ચરિંગ કંપનીઓને દારૂ વેચવા માટેની મંજૂરી શા માટે અપાઈ. 25મી ઓક્ટોબરના રોજ જ્યારે આબકારી વિભાગે બ્લેક લિસ્ટેડ કંપનીઓ સામે સવાલ કર્યા તો પણ તેમને દારૂના વેચાણની મંજૂરી શા માટે આપી. કેબિનેટ વગર જ શરાબ માફિયાઓના 144 કરોડ શા માટે માફ કરાયા? સરકાર શરાબ માફિયાઓ માટે આટલી રહેમદિલ શા માટે છે? મનીષ સિસોદિયા સવાલોથી આટલા દૂર શા માટે ભાગી રહ્યા છે?