મનોરંજન

ફિલ્મ લાલસિંહ ચઢ્ઢા નિષ્ફળ જતા અનુપમ ખેરે આમિર ખાન પર કર્યો કટાક્ષ, જાણો! શું કહ્યું ?

Text To Speech

બોલિવૂડ ના જાણીતા એક્ટર આમિર ખાનની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઇ છે. આમિર ખાને આ ફિલ્મથી 4 વર્ષ બાદ કમબેક કર્યું હતું, પરંતુ લોકોએ તેની ફિલ્મને સંપૂર્ણપણે ફગાવી દીધી હતી. લાલ સિંહ ચઢ્ઢાની નિષ્ફળતાથી દરેકને આશ્ચર્ય થઈ રહ્યું છે. કારણ કે સકારાત્મક સમીક્ષાઓ પછી પણ ફિલ્મને દર્શકો નથી મળી રહ્યા. હવે અનુપમ ખેરે લાલ સિંહ ચઢ્ઢાને લઈને બહિષ્કારના વલણ પર પોતાનો અભિપ્રાય શેર કર્યો હતો .

અનુપમ ખેરે આમિર ખાન પર સાધ્યું નિશાન

અનુપમ ખેરે એક ઇન્ટરવ્યૂ માં જણાવ્યું કે લાલ સિંહ ચઢ્ઢાના બહિષ્કારના વલણ માટે આમિર ખાનને જવાબદાર ઠેરવ્યા છે. આ સિવાય અનુપમ ખેરે બોક્સ ઓફિસ પર લાલ સિંહ ચઢ્ઢાના ખરાબ પ્રદર્શન માટે પણ આમિર ખાનને પણ આડે હાથ લીધા હતાં. બોયકોટ પર વાત કરતા અનુપમ ખેરે કહ્યું- જો કોઈને લાગે છે કે તેણે ટ્રેન્ડ શરૂ કરવો હોય, તો તે તે કરવા માટે સ્વતંત્ર છે. દરરોજ નવા ટ્રેન્ડ જોવા મળી રહ્યા છે.

aamir khan
Anupam Kher vs Aamir Khan

અનુપમ ખેરે 2015માં આમિર ખાનની અસહિષ્ણુતાની ટિપ્પણી પર ટિપ્પણી આપી હતી.અનુપમ ખેરે કહ્યું- જો તમે ભૂતકાળમાં કંઈક કહ્યું છે. તો ચોક્કસ તે વાત તમને આગળ જતા પરેશાન કરશે.

2015માં આમિર ખાને અસહિષ્ણુતા પર શું કહ્યું હતું ?

2015માં નવી દિલ્હીમાં એવોર્ડ્સ સમારોહ દરમ્યાન આમિર ખાને કહ્યું હતું કે જેનો ઘણા લોકોએ વિરોધ ઉઠાવ્યો હતો. તેણે કહ્યું હતું કે તે દેશમાં થઈ રહેલી ઘટનાઓથી ચિંતા અનુભવે છે. અને તેની પત્ની કિરણ રાવે પણ તેમને દેશ છોડી દેવાનું સૂચન કર્યું હતું.

આમિરની આ ટિપ્પણી પર તેને ઘણી ટ્રોલીંગનો સામનો કરવો પડ્યો હતો

લાલ સિંહ ચઢ્ઢા આમિર ખાનનો ડ્રીમ પ્રોજેક્ટ પણ હતો. પરંતુ આ ફિલ્મ જરાય બોક્સ ઓફિસ પર કમાલ કરી શકી નહીં. ફિલ્મના ઘણા શો ખાલી જઈ રહ્યા છે.આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કમાલ ન કરી શકી તે પ્રશ્ર્ન દરેક લોકો જાણેજ છે.

Back to top button