ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

સુરતમાં મૌલાના કેસમાં વધુ એક ખુલાસો, પાકિસ્તાનની યુવતીઓએ યુવાનનું કરાવ્યું ધર્મપરિવર્તન

  • આરોપીઓને પાકિસ્તાનથી નાણા પૂરા પાડવામાં આવ્યા હોવાના પુરાવા મળ્યા
  • હિન્દુ નેતાઓની સોપારી આપવાના કેસમાં વધુ ખુલાસા થયા
  • અશોક સુથાર ઉર્ફે અબુબકર છેલ્લા ઘણા મહિનાથી પાકિસ્તાનની યુવતીઓનાં સંપર્કમાં હતો

સુરતમાં મૌલાના કેસમાં વધુ એક ખુલાસો થયો છે. જેમાં પાકિસ્તાનની યુવતીઓએ યુવાનનું ધર્મપરિવર્તન કરાવ્યું હતુ. તેમાં આરોપી અશોકને દિલ્હીમાં અબુ બકર બનાવ્યાનું ખુલ્યું છે. જેમાં પાકિસ્તાનની યુવતીઓએ અશોકનું બ્રેઈનવોશ કર્યું હતું. તેમાં આરોપી અશોક કામરેજના મૌલાના સુહેલના સંપર્કમાં હતો.

આ પણ વાંચો: ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી

હિન્દુ નેતાઓની સોપારી આપવાના કેસમાં વધુ એક ખુલાસો

હિન્દુ નેતાઓની સોપારી આપવાના કેસમાં નવો વળાંક આવ્યો છે,જેમાં રાજસ્થાનથી અશોક સુથાર ઉર્ફે અબુબકરની તપાસમાં ખુલાસો થયો છે,અબુ બકુરનુ કહેવું છે કે પાકિસ્તાનની કેટલીક યુવતીઓ તેનું ધર્મ પરિવર્તન કરાવ્યું છે,પાકિસ્તાનની યુવતીઓએ અશોક સુથારનું બ્રેઇનવોશ કરી દીધું હતું પાકિસ્તાની યુવતીઓના ચક્કરમાં અશોક સુથારમાંથી અબુબકર બની ગયો હતો,આરોપી અશોક સુરત કામરેજના મૌલાના સુહેલના સંપર્કમાં હતો,આરોપી અશોક અને મૌલાના સુહેલ સોશ્યિલ મીડિયાથી સંપર્કમાં આવ્યો હતો તો સુરત ક્રાઈમ બ્રાન્ચ આરોપીને લઈને રાજેસ્થાનથી નિકળી છે.

અશોક સુથાર ઉર્ફે અબુબકર છેલ્લા ઘણા મહિનાથી પાકિસ્તાનની યુવતીઓનાં સંપર્કમાં હતો

કોમ્પ્યુટર ક્લાસીસ ચલાતા અશોક સુથાર ઉર્ફે અબુબકર છેલ્લા ઘણા મહિનાથી પાકિસ્તાનની યુવતીઓનાં સંપર્કમાં હતો. તેમજ પાકિસ્તાનની યુવતીઓ સાથે પહેલા નોકરી માટે અને બાદમાં ધર્મ માટે ચેટ કરતો હતો. જેમાં પાકિસ્તાનની યુવતીઓએ તેનું બ્રેઈન વોશ કરી દીધું હતું. જેથી અશોક સુથારે ધર્મ પરિવર્તન કર્યું હતું. દિલ્હીની મસ્જિદમાં ધર્મ પરિવર્તન કરી અબુબકર બન્યો હતો. અબુબકર બન્યા બાદ જેહાદમાં જોડાયો હતો. અત્યાર સુધીની તપાસમાં મૌલવી સહિત 3 આરોપીની ધરપકડ કરાઈ છે. મૌલવી સોહેલ પાસેથી 2 કાર્ડ અને જન્મના પ્રમાણપત્ર મળી આવ્યા છે. 17 જેટલા વર્ચ્યુઅલ કાર્ડનો ઉપયોગ કરી હિન્દુવાદી નેતાઓને ધમકી આપતા હતા. 42 ઇ-મેઈલ આઇડી પરથી શેહનાઝ ધમકીઓ આપતો હતો. સોહેલ પાસેથી બે ઇલેક્શન કાર્ડ મળ્યા છે. હવાલાના માધ્યમથી મની ટ્રાન્સફર કરતા હતા. આરોપીઓના પાકિસ્તાન સાથે સંપર્ક હોવાના પુરાવા પણ મળ્યા છે.

આરોપીઓને પાકિસ્તાનથી નાણા પૂરા પાડવામાં આવ્યા હોવાના પુરાવા મળ્યા

આરોપીઓને પાકિસ્તાનથી નાણા પૂરા પાડવામાં આવ્યા હોવાના પુરાવા મળ્યા છે. આરોપીઓ સોશિયલ મીડિયાના માધ્યમથી અલગ-અલગ વ્યક્તિઓને ટાર્ગેટ કરતા હતા. સુરેશ રાજપૂત, ઉપદેશ રાણા, નિશાંત શર્માને ગૃપ કોલથી ધમકી આપી હતી. મહત્વપૂર્ણ છે કે, આ કેસમાં અત્યાર સુધી મૌલવી મોહમ્મદ સોહેલ અબુ બકર ટીમોલ, મહારાષ્ટ્રના નાંદેડથી શકીલ સત્તાર શેખ ઉર્ફ રઝા અને બિહારના મુઝફ્ફરપુરથી શહેનાઝ ઉર્ફે મોહમ્મદ અલી મોહમ્મદ શાબિરની ધરપકડ કરવામાં આવી છે.

Back to top button